બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પ્રેસ કોન્ફરન્સમાં એવું શું બન્યું કે, BCCIએ અજિત અગરકરને જવાબ આપતા અટકાવ્યા
Last Updated: 05:32 PM, 19 August 2025
Asia Cup India Squad 2025: મુંબઈમાં એશિયા કપ 2025 ટીમની જાહેરાત દરમિયાન બીસીસીઆઇએ અજિત અગરકરને પાકિસ્તાન પરના પ્રશ્નોના જવાબ આપતા અટકાવ્યા હતા. મુંબઈમાં મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન અગરકર કંઈક કહેવાના હતા ત્યારે બીસીસીઆઇના પ્રતિનિધિએ દરમિયાનગીરી કરીને તેમને ચૂપ કરાવી દીધા.
ADVERTISEMENT
#WATCH | On Shreyas Iyer and Yashasvi Jaiswal excluded from the squad for Asia Cup 2025, Indian Men's cricket team chief selector, Ajit Agarkar says, "...With regards to Yashasvi, it is just unfortunate again. What Abhishek Sharma has done over the last few months or a year or so… pic.twitter.com/F7y5ooLJIz
— ANI (@ANI) August 19, 2025
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી ટક્કરની વાત કરીએ તો ભારત 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાનનો સામનો કરશે, સુપર-4 અને ફાઇનલમાં પણ ટક્કર થવાની શક્યતા છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, આ મેચોને લઇ વિરોધ થવા લાગ્યો છે. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન સંબંધિત પ્રશ્નનો જવાબ આપતા અટકાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
🚨 #TeamIndia's squad for the #AsiaCup 2025 🔽
— BCCI (@BCCI) August 19, 2025
Surya Kumar Yadav (C), Shubman Gill (VC), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Shivam Dube, Axar Patel, Jitesh Sharma (WK), Jasprit Bumrah, Arshdeep Singh, Varun Chakaravarthy, Kuldeep Yadav, Sanju Samson (WK), Harshit Rana,…
જોકે હાલના સરહદપાર તણાવ અને આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને, દેશમાં આનો વિરોધ થઈ રહ્યો છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ પાકિસ્તાન સાથે રમવાનો વિરોધ કર્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશોની ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાનનો સામનો કરશે. સુપર-૪ અને ફાઇનલમાં પણ ટક્કર થવાની શક્યતા છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ક્રિકેટ / એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગુજરાતના ત્રણ ખેલાડીને મળ્યું સ્થાન
ADVERTISEMENT
કેદાર જાધવ અને હરભજન સિંહે બીસીસીઆઈને પાકિસ્તાન સાથે મેચ ન રમવાની સલાહ આપી હતી. જાધવે ન્યુઝ એજન્સીને કહ્યું, 'મને નથી લાગતું કે ભારતીય ટીમે રમવું જોઈએ. મારું માનવું છે કે ભારત નહીં રમે.
T20 એશિયા કપ 2025 માટે ભારતની ટીમ
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિંકુ સિંહ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.