બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટ જગતમાં મચ્ચો હડકંપ, બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો, હવે આ દેશને કરાશે સામેલ
Last Updated: 05:13 PM, 22 January 2026
Bangladesh Team: બાંગ્લાદેશ સરકારે આગામી ટી20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિઓને કારણો તરીકે ગણાવીને આ નિર્ણયે આઇસીસી માટે એક મોટું સંકટ ઊભું કર્યું છે, જેનાથી ટુર્નામેન્ટના સમયપત્રક અને એશિયન ટીમોની ભાગીદારી અંગે પ્રશ્નો ઉભા થયા છે.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની ચેતવણી પછી પણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ખેલાડીઓ અને વચગાળાની સરકારના રમત સલાહકારે ટી20 વર્લ્ડ કપ અંગે પોતાના વલણ પર અડગ રહેવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મેચોનું સ્થળ ભારતથી શ્રીલંકામાં ખસેડવામાં ન આવે ત્યાં સુધી ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં.

ADVERTISEMENT
ખેલાડીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ બાંગ્લાદેશના રમત સલાહકાર આસિફ નજરુલે ICC પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે જણાવ્યું હતું કે આઇસીસીએ બાંગ્લાદેશને ન્યાય આપ્યો નથી અને ખેલાડીઓની સલામતીની અવગણના કરવામાં આવી રહી છે. આસિફ નજરુલે જણાવ્યું હતું કે સરકાર, ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ એકમત છે કે કોઈપણ સંજોગોમાં સુરક્ષા સાથે ચેડા કરવામાં આવશે નહીં.
આસિફ નજરુલે સ્પષ્ટપણે કહ્યું, "અમે કોઈના દબાણ સામે ઝૂકીશું નહીં." બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ન રમવાના પરિણામો શું હશે તે દુનિયાએ પણ સમજવું જોઈએ. આપણે આપણા ખેલાડીઓની સલામતી સાથે સમાધાન કરી શકીએ નહીં.
ADVERTISEMENT
બેઠક બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ફરી રિપીટ કર્યુ કે તેમનનો નિર્ણય અટલ છે. બોર્ડે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં રમવા માટે ભારત જવું સલામત નથી, અને તેથી સ્થળ શ્રીલંકામાં બદલવું જોઈએ. જોકે આઇસીસીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ટુર્નામેન્ટની મેચો ભારતની બહાર ખસેડવામાં આવશે નહીં.
આઇસીસીની આ કડક ચેતવણી છતાં બાંગ્લાદેશે તેના નિર્ણયથી પાછળ હટવાનો ઇનકાર કર્યો છે. આ સમગ્ર વિવાદે ટી20 વર્લ્ડ કપ પર સંકટના વાદળો ઘોરાવા લાગ્યા છે. હવે બધાની નજર આઇસીસીના આગામી પગલાં અને આ સંઘર્ષના ઉકેલ પર છે.
ADVERTISEMENT
આમ તો ટી20 વર્લ્ડ કપના સમયપત્રક મુજબ બાંગ્લાદેશને શરૂઆતમાં ગ્રુપ સી માં રાખવામાં આવ્યું હતું. તેની પ્રથમ ત્રણ મેચ કોલકાતામાં રમવાની હતી. ત્યારબાદ બાંગ્લાદેશ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે તેની અંતિમ ગ્રુપ મેચ રમવાનું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારતે પહેલી T20Iમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, અભિષેક શર્માએ નાગપુરમાં ધમાલ મચાવી દીધી
બાંગ્લાદેશનો ટી20 વર્લ્ડ કપ શેડ્યૂલ નીચે મુજબ હતો
ADVERTISEMENT
7 ફેબ્રુઆરી, 2026: બાંગ્લાદેશ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, બપોરે 3 વાગ્યે, ઈડન ગાર્ડન્સ (કોલકાતા)
9 ફેબ્રુઆરી, 2026: બાંગ્લાદેશ વિરુદ્ધ ઈટલી, સવારે 11 વાગ્યે, ઈડન ગાર્ડન્સ (કોલકાતા)
14 ફેબ્રુઆરી, 2026: બાંગ્લાદેશ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, બપોરે 3 વાગ્યે, ઈડન ગાર્ડન્સ (કોલકાતા)
17 ફેબ્રુઆરી, 2026: બાંગ્લાદેશ વિરુદ્ધ નેપાળ, સાંજે 7 વાગ્યે, વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.