બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લખનઉ અગ્નિકાંડ બાદ યોગી સરકારની મોટી કાર્યવાહી, પ્રયાગરાજમાં ખાન સરનું કોચિંગ સેન્ટર સીલ
Last Updated: 09:49 PM, 23 June 2026
ઉત્તર પ્રદેશના શૈક્ષણિક ગઢ ગણાતા પ્રયાગરાજમાંથી એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લખનઉ અગ્નિકાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ જિલ્લા પ્રશાસન, પ્રયાગરાજ વિકાસ સત્તામંડળ અને અગ્નિશમન વિભાગની સંયુક્ત ટીમોએ વ્યાપક સ્તરે તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ તપાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં કરતા અને ફાયર સેફ્ટીના સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા અનેક પ્રખ્યાત કોચિંગ સેન્ટરોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે, જેમાં પટનાના પ્રખ્યાત શિક્ષક ખાન સરની સંસ્થા પણ સામેલ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજના મુખ્ય કોચિંગ વિસ્તારોમાં સુરક્ષા માપદંડોની ચકાસણી માટે એક વિશેષ સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શન દરમિયાન એવી ચોંકાવનારી ખામીઓ સામે આવી છે જે ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે તેમ હતી. લખનઉ અકસ્માતની જેમ જ પ્રયાગરાજમાં પણ ઘણા કોચિંગ સેન્ટરો રહેણાંક ભવનોમાં અથવા અત્યંત સાંકડી ગલીઓમાં કોઈપણ પ્રકારની વ્યાપારી મંજૂરી વિના ધમધમી રહ્યા હતા. તપાસ ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, સીલ કરાયેલા મોટાભાગના કોચિંગ સેન્ટરોમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકસાથે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈ કટોકટીની સ્થિતિ ઊભી થાય તો બહાર નીકળવા માટે કોઈ ‘ઇમરજન્સી એક્ઝિટ’ની વ્યવસ્થા જ નહોતી. અનેક નામી સંસ્થાઓમાં આગ ઓલવવા માટેના સિલિન્ડરો કાં તો એક્સપાયર થઈ ચૂક્યા હતા અથવા તો માત્ર વહીવટી તંત્રને બતાવવા માટે ટાંગી રાખવામાં આવ્યા હતા. બિલ્ડિંગમાં પાણીનો મારો ચલાવતી સ્પ્રિંકલર સિસ્ટમ અને યોગ્ય હવાની અવરજવર માટેનું વેન્ટિલેશન પણ સંપૂર્ણપણે ઠપ જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
આ મોટા પ્રશાસનિક સપાટા દરમિયાન પટના પછી હવે પ્રયાગરાજમાં પણ સ્થિત ‘ખાન સર’ ના કોચિંગ સેન્ટરને વહીવટી આદેશથી બંધ કરાવી દેવામાં આવ્યું છે. જ્યારે ફાયર અને રેવન્યુ વિભાગની ટીમ નિરીક્ષણ માટે ખાન સરની સંસ્થાએ પહોંચી, ત્યારે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટી સંબંધિત ઘણી ગંભીર ખામીઓ ઓન-રેકોર્ડ મળી આવી હતી. વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મૂકી શકાય તેવા કડક વલણ સાથે પ્રશાસને તાત્કાલિક અસરથી આ સંસ્થાની કામગીરી અટકાવી સીલ મારી દીધું છે.
આ પણ વાંચો : અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું? જાણો જીવ બચાવવાના મહત્વના ઉપાય
ADVERTISEMENT
સત્તાવાર અહેવાલો અને સરકારી અધિકારીઓના નિવેદન મુજબ, ખાન સરનું આ કોચિંગ સેન્ટર જે બિલ્ડિંગમાં ચલાવવામાં આવી રહ્યું હતું, તે ઇમારતને કમર્શિયલ ઉપયોગ માટે તો મંજૂરી મળેલી હતી. પરંતુ, નિયમો અનુસાર આવી મોટી શૈક્ષણિક સંસ્થા કે કોચિંગ સેન્ટર ચલાવવું એ 'સામુદાયિક સુવિધા'ની શ્રેણીમાં આવે છે. આ ખાસ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે બિલ્ડિંગ માલિક કે સંચાલકો દ્વારા સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી વધારાની કાયદાકીય મંજૂરી લેવામાં આવી નહોતી. નિયમોના આ સ્પષ્ટ ભંગ બદલ જ આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.