બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / CR patil says No relatives of BJP leaders will get tickets in gujarat elections 2022
Dhruv
Last Updated: 12:05 PM, 5 November 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો પોતાપોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ભાજપમાં આજે ઉમેદવારોની પસંદગી માટેનો આજે અંતિમ દિવસ છે. એ પહેલાં CR પાટીલે ઉમેદવારોની પસંદગીને લઇને મોટું નિવેદન આપ્યું છે. CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, 'ભાજપના નેતાઓના કોઈ પણ સગાંને ટિકિટ નહીં મળે, ધારાસભ્ય, સાંસદ કે પૂર્વમંત્રી હશે તો તેમના સગાંને ટિકિટ નહીં મળે.'
આ સ્ટ્રેટેજીથી ભાજપને કોઈ ફાયદો થશે?#GujaratElections2022 #BJP #Vcard pic.twitter.com/9zDjTrod0D
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 5, 2022
આજે ભાજપના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ
તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે બાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે. આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં ઘાટલોડિયા, નિકોલ, વટવા સિવાય 13 બેઠકોના સેન્સ લેવામાં આવશે.
ઘાટલોડિયામાં ભાજપમાં CM સિવાય કોઇએ દાવેદારી નથી નોંધાવી
અમદાવાદની 16 બેઠકો માટે આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ તમામ બેઠકો ઉપર ભાજપમાંથી 500 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ 62 અસારવા, બાપુનગર માટે 51એ દાવેદારી નોંધાવી છે. જ્યારે ઘાટલોડિયા માટે એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. તો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયેલા 6 નેતાઓએ પણ ટિકિટની માંગ કરી છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ અને ધારાસભ્ય રાકેશ શાહે દાવેદારી કરી છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વટવાથી ઉમેદવારી નોંધાવી છે.
16 બેઠક માટે ભાજપમાં 499 દાવેદારો
અમદાવાદની કુલ 16 બેઠકો પર દાવેદારો વિશે વિગતવાર વાત કરીએ તો ઘાટલોડિયામાં એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. જ્યારે વેજલપુરમાં 28, વટવામાં 12, એલિસબ્રિજમાં 27, નારણપુરામાં 12, નિકોલમાં 16, ઠક્કરનગરમાં 22, બાપુનગરમાં 51, અમરાઈવાડીમાં 22, દરિયાપુરમાં 24, જમાલપુર- ખાડિયામાં 16, મણિનગરમાં 25, દાણીલીમડામાં 14, સાબરમતીમાં 9, અસારવામાં 62, નરોડામાં 42 નેતાઓએ દાવેદારી નોંધાવી છે.
ચાલો જીતવા જંગ બ્યુગુલો વાગે, યા હોમ કરીને કૂદી પડો ફતેહ છે આગે
— Gujarat Congress (@INCGujarat) November 4, 2022
વિધાનસભાની ચૂંટણી માટે પસંદગી પામેલ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન#કોંગ્રેસ_આવે_છે pic.twitter.com/CnP7IACxAt
કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી કરી દીધી છે જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે.
AAPએ પણ અત્યારસુધીમાં કુલ 118 ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે
આમ આદમી પાર્ટીએ પણ ગઇકાલે મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કરી દીધું છે તેમજ અત્યારસુધીમાં કુલ 118 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપમાં આજે ફરી બાકી રહેલી 77 બેઠકોનું મહામંથન થશે. ત્યાર બાદ આ મામલો દિલ્હી હાઇ કમાન્ડ સુધી પહોંચશે. બાદમાં ભાજપના ફાઇનલ ઉમેદવારોના નામ જાહેર થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime