બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 03:22 PM, 31 October 2023
ગરબા અને લગ્નમાં ડાન્સ કરતા સમયે, દોડતા સમયે તથા અલગ અલગ એક્ટિવિટી કરતા સમયે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ICMRએ આ બાબતે એક સ્ટડી જાહેર કરી છે, જેના સંદર્ભે કેન્દ્રિય આરોગ્યમંત્રીએ કોરોનાનો ભોગ બનેલ લોકોને સલાહ આપી છે કે, આ લોકોએ 1-2 વર્ષ સુધી ભારે કસરત ના કરવી જોઈએ. પોસ્ટ કોવિડમાં 10થી 20 ટકા હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે, આ લોકોને હાર્ટ એટેક આવવાનું વધુ જોખમ હોવાને કારણે ડાંસ, કસરત અને મેરાથોનથી દૂર રહેવું જોઈએ.
કોવિડના દર્દીઓને હાર્ટ એટેકનું જોખમ
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પોસ્ટ કોવિડના એવા કેસ સામે આવ્યા છે કે, 10થી 20 ટકા લોકોને હાર્ટ એટેક આવવાનું વધુ જોખમ છે. કોવિડ દરમિયાન જે લોકો ઓક્સિજન સપોર્ટ પર હતા, તથા મોડરેટ ટુ સીવિયર કેટેગરીમાં કોરોનાથી સંક્રમિત લોકોને હાર્ટ એટેકનું વધુ જોખમ છે.
એકાએક ભારે કસરત ના કરવી
જો તમે કસરત કરતા નથી, એકાએક ભારે કસરત ના કરવી. ગરબા ભારે કસરત ગણવામાં આવે છે. 3-4 કલાક સુધી ગરબા કરવા તે સરળ નથી. જે લોકો ક્યારેય પણ જીમ ગયા નથી, ડાન્સ કર્યો નથી, દોડ્યા નથી, મેરાથોનમાં શામેલ થયા નથી. તે લોકોએ ડોકટરની સલાહ લીધા વગર આ પ્રકારની એક્ટિવિટી ના કરવી જોઈએ. કોવિડની બીજી લહેરમાં જે લોકોને સીવિયર ઈન્ફેક્શન હતું, તે લોકોને હાર્ટ એટેક આવવાનું વધુ જોખમ છે.
અનેક લોકોને માયોકાર્ડિટિસ થયો
કોવિડના કારણે અનેક લોકો માયોકાર્ડિટિસથી પીડિત છે. આ વાયરસ ઈન્ફેક્શનના કારણે થાય છે. જેમાં હાર્ટની માંસપેશીઓમાં સોજો આવે છે, જેના કારણે હ્રદય નબળુ ડી જાય છે. હાર્ટબીટ કંટ્રોલમાં રહેતી નતી. બ્લોકેજની ટેંડેંસી વધી જાય છે. હાર્ટ ડેમેજ થાય છે, જેના કારણે એકાએક કાર્ડિયાક અરેસ્ટ આવવાનું જોખમ રહે છે.
ઓક્સિજન સપોર્ટ પર રહેતા લોકોને વધુ જોખમ
જે લોકો ઓક્સિજન સપોર્ટ પર હતા, તે લોકોને કાર્ડિયાક અરેસ્ટનું વધુ જોખમ હોય છે. માયોકાર્ડિટિસ થાય તો ઈલાજના થોડા દિવસ પછી તે ઠીક થઈ જાય છે અને માંસપેશીઓ રિકવર થઈ જાય છે. જે લોકોને કોવિડ થયો હોય તે લોકોને માયોકાર્ડિટિસથી ઠીક થવામાં બે વર્ષ સુધીનો સમય લાગે છે. હાર્ટના દર્દીઓ માટે ડીજેનો અવાજ પણ જોખમી છે. નિષ્ણાંતો અનુસાર હાર્ટના દર્દીઓએ ડીજે, ડિસ્કોમાં ના જવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime