ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લોકોએ જીવન જરૂરિયાની વસ્તુઓ માટે બહાર નીકળવાની જરૂર નથી. 60 લાખ પરિવારોને મફત અનાજ આપવામાં આવશે. એ સિવાય પણ ઘણી અગત્યની જાહેરાત કરી છે જાણો શું કરી જાહેરાત. મહત્વનું છે કે CMના આ નિર્ણયથી 60 લાખ પરિવાર અને સવા 3 કરોડ લોકોને લાભ મળશે. જાહેરાતમાં કહેવાયું હતું કે 3.5 કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ મળશે. હજુ પણ મહત્વના નિર્ણયો લેવાશે. જેમ જેમ નિર્ણય લેવાશે તેમ તેમ લોકોને જાણ કરવામાં આવશે.
21 દિવસ સુધી ગરીબોને ગુજરાત સરકાર મફત ભોજન આપશે.
લોકડાઉનમાં લોકો બહાર ન નીકળે
1 લી એપ્રિલથી સરકારી રાશનની દુકાનમાં મળશે રાશન
ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લોકો જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા પણ બહા ન નીકળવા તાકીદ કરી છે. સીએમ રૂપાણીએ પોતાના ફેસબુક પેજ ઉપરથી જાહેર જનતા માટે સંદેશ આપ્યો હતો.
ગુજરાત સરકારે ગરીબોને 21 દિવસ સુધી મફત ભોજન આપવાની જાહેરાત કરી છે. જે લોકો પાસે રાશનકાર્ડ છે તેમને અમુક અનાજ પણ આપવામાં આવશે.
શું કરી જાહેરાત
જે લોકો રોજ કામ કરે છે અને રોજ ખાય છે તેવા કારિગરો અને ગરીબ કુંટુંબ
60 લાખ કુંટુબ અને સવા ત્રણ કરોડ લોકો માટે વ્યક્તિ દીઠ જેમની પાસે રાશન કાર્ડ છે તેમને સાડા ત્રણ કિલો ઘઉ, દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ આપશે.
કુંટુબ દીઠ એક કિલો દાળ, એક કિલો ખાંડ, એક કિલો મીઠુ મફત મળશે.
21 દિવસ સુધી ધંધા રોજગાર બંધ થાય એટલે મુશ્કેલી સર્જાય એ સમજી શકાય છે. હજુ પણ અમે ચર્ચાઓ કરીને નિર્ણય લઈ રહ્યા છીએ અને હજુ આ અંગે વધુ તમને અમે જણાવતા રહીશું. ભવિષ્યમાં અન્ય સહાયનો પણ ઉલ્લેખ કરીશુ.
21 દિવસ ભેગા ન થશો. સરકાર તમારી ચિંતા કરે છે. સૌ પોતાના ઘરમાં રહે. રાજ્ય સરકાર તમારી ચિંતા કરી રહ્યુ છે તમે ખાલી ઘરમાં રહો અમે તમારી દરેક મુશ્કેલીનું નિરાકરણ લાવીશુ.