બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખાંડના ભાવમાં ધરખમ વધારો: 10 દિવસમાં ₹12 પ્રતિ કિલોનો વધારો
Last Updated: 07:53 PM, 20 August 2026
અમદાવાદ સહિત રાજ્યમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે. ખાંડ ના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. નાગરિકોની સવાર ચા થી પડે છે અને એ ચા ખાંડ વગર અધૂરી છે. ખાંડ ના ભાવ ની અમદાવાદમાં વાત કરી એ તો ખાંડ પ્રતિ કિલો રૂા. 62 પર ભાવ પહોંચી ગયો છે. 10 જ દિવસમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો એ રૂ 12 વધ્યો છે.
ADVERTISEMENT
ખાંડના ભાવ પર અમદાવાદી ગૃહિણીએ જણાવ્યું હતું કે ખાંડના ભાવનું અસર સુધી ગૃહિણીઓના બજેટ પર અસર થાય છે. દિવસની શરૂઆત ચા થી થાય છે. દરેક વસ્તુઓમાં ભાવ વધારો છે. ઘરનું બજેટ ખોરવાય છે.
ADVERTISEMENT
ભાવ વધતા રિટેલ વેપારીઓ નો ધંધો પણ ખોરવાયો છે
ADVERTISEMENT
ખાંડ ના ભાવ વધવા પર અમદાવાદની માધુપુરા અનાજ બજારના વેપારીઓએ જણાવ્યું હતું હતું કે છેલા 10 દિવસ થી ભાવ વધી રહ્યાં છે, 48 રૂ કિલો હતો જે હાલ રિટેલ માં 60 સુધી પહોંચ્યો છે. ખાંડના ભાવ વધતા વેપાર પર અસર થઈ રહી છે. ગૃહિણીઓ ઓછી ખરીદી કરે છે.
ADVERTISEMENT
ગ્રાહકો રિટેલ વેપારીને કહે છે ભાવ કેમ વધે છે પણ આગળ થી ભાવ વધુ થઈને આવી રહ્યા છે. મિલ માલિકો અને હોલ સેલના વેપારીઓ દ્વારા ભાવ વધારવામાં આવી રહ્યો છે. જેની અસર રિટેલ માર્કેટમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 6 નવી અર્બન કો-ઓપરેટિવ બેન્કને મંજૂરી મળી શકે, RBIએ આપી છૂટ, જાણો બેંક માટે કોણ કરી શકે અરજી
ADVERTISEMENT
સંગ્રહ ખોરીના થાય તે માટે સરકાર દ્વારા ખાંડના જથ્થા રાખવા માટે વેપારીને સૂચના આપવામાં આવી છે. એક વેપારી 15 દિવસ થી વધુ ખાંડના જથ્થો નહીં રાખી શકે. 10 મેટ્રિક ટન ખાંડના જથ્થો માત્ર 15 દિવસ પૂરતો જ ઉપયોગ કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.