બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં લગ્નના હોલ બુકિંગ માટે કંકોત્રી આપવાનો નિયમ હટાવાયો, હવે આ રીતે થઈ શકશે બુક
Last Updated: 08:08 PM, 20 August 2026
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોલના લગ્ન પ્રસંગ માટે હોલ બુકિંગને લઈને કંકોત્રી આપવાનો જે નિયમ હતો તેને હટાવાયો છે. હવે નાગરિકો આધાર કાર્ડ દ્વારા જ લગ્ન માટે હોલ બુકિંગ કરાવી શકાશે.
ADVERTISEMENT
હોલ નક્કી થયા વગર લગ્નની કંકોત્રી કેવી રીતે બની શકે?
અત્યાર સુધી જ્યારે વ્યક્તિ લગ્ન માટે હોલ બુક કરાવવા જાય ત્યારે તેની પાસે આધાર કાર્ડ સાથે લગ્નની કંકોત્રી માંગવામાં આવતી હતી લગ્નની કંકોત્રી હોલ નક્કી થયા વગર કઈ રીતે બની શકે?તેવી સામાન્ય બુદ્ધિ પણ એએમસીના અધિકારીઓ પાસે ન હોવાને કારણે લોકોને હોલ બુકિંગ માટે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
ADVERTISEMENT
રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીએ સુધારો કર્યો
આ બાબતની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવતા આ બાબત સામે આવી હતી. અત્યાર સુધી આ નિયમને કારણે અનેક લોકો હેરાન થયા અને તંત્રની હવે આંખ ઉઘડી છે ત્યારે હવે કંકોત્રી નહીં માંગવાનો નિર્ણય કરાયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : મહીસાગરમાં સરપંચના ગોટાળા, બે અલગ અલગ જાતિના પ્રમાણપત્રો, હવે એક રદ કરવાનો આદેશ
હોલના મુખ્ય પ્રવેશદ્વાર પર લાગશે પેકેજના ભાવ
ADVERTISEMENT
નવી પોલીસીમાં ખાનગી પાર્ટી પ્લોટની જેમ ચોક્કસ પેકેજ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેમાં A, B અને C એમ 3 કેટેગરીના પેકેજ નિયત કરાશે અને નિર્ધારિત રકમ કરતાં એક પણ રૂપિયો વધારે વસૂલી શકાશે નહીં. કોન્ટ્રાક્ટરો દ્વારા વધારે ભાડું ન લેવાય તે માટે હોલના મુખ્ય પ્રવેશદ્વાર પર જ મોટા બોર્ડ લગાવીને પેકેજના ભાવ અને ફરિયાદ માટેનો હેલ્પલાઇન નંબર પ્રદર્શિત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.