સરકાર દ્વારા આત્મનિર્ભર સહાયની લોનની જાહેરાત કરવામાં આવી છે. આજથી લોન માટે ફોર્મ મળશે. કો.ઓપરેટિવ બેંકમાંથી નાના દુકાનદારો, વાળંદ, દરજી, પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન સહિતના નાન વેપારીઓ લોન મેળવી શકે છે.
કો.ઓપરેટિવ બેંકમાં જ મળશે ફોર્મ
નાના દુકાનદારો,વાળંદ,દરજીને મળી શકશે લોન
પ્લમ્બર,ઇલેક્ટિશિયન જેવા નાના વેપારીઓને મળશે લોન
આત્મનિર્ભર હેઠળ 1 લાખના લોનની સહાય આપશે
આત્મનિર્ભર સહાય હેઠળ સરકાર દ્વારા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક દ્વારા 8 ટકાના વ્યાજે લોન અપાશે. જેમાં સરકાર દ્વારા 6 ટકા વ્યાજ ચૂકવાશે. જ્યારે ગ્રાહકને માત્ર 2 ટકા જ વ્યાજ ચૂકવવાનું રહેશે. સાથે જ 6 મહિના બાદ લોનના EMI શરૂ થશે.
કેટલા રૂપિયા સુધીની લોન મળશે?
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.
કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
લોન લેનાર વ્યક્તિએ ફક્ત બે ટકા વ્યાજ ચૂકવવું પડશે. લોન પરનું છ ટકા વ્યાજ સરકાર ચૂકવશે.
કોને લોન મળી શકશે?
નાના ધંધો કરતા વાળંદ, ધોબી, પ્લમ્બર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને લાભ મળશે.
ફોર્મનું વિતરણ કઈ તારીખથી થશે?
આત્મનિર્ભર ગુજરાત નામની આ યોજના માટેના અરજી ફોર્મનું વિતરણ 21મી મેથી શરૂ કરવામાં આવશે.