ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 122 પર પહોંચી છે. રાજ્યમાં કુલ 14 નવા કેસ નોંધાયા છે અને સુરતની એક મહિલાનું મોત થયુ છે એટલે મોતની સંખ્યા 11 પર પહોંચી છે. આ અંગેની પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં તબલીગી સમાજને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે.
ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 122 પર પહોંચી.
આજે નવા કેસ 14 નોધાયા
આજે સુરતમાં એકનું મોત
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા છે. આરોગ્ય સચિવ જંયતિ રવિએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં તબલીગી જમાતના તમામ લોકોની તપાસ કરાઈ રહી છે. તેમના કારણે રિપોર્ટમાં અસર પડી છે. આજે સુરતમાં એક મહિલાનું મોત થયુ છે જેને પગલે કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. 94 લોકોની હાલત સ્થિર, 17 લોકો ડિસ્ચાર્જ થયા છે. મરકજથી આવેલા તમામ લોકોનું તંત્ર દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.
રિપોર્ટ પણ કરાઈ રહ્યા છે.
તબલીગી જમાતમાંથી પરત આવેલા લોકના રિપોર્ટ પણ કરાઈ રહ્યા છે. અને બીજા વિસ્તાર કે, બીજા સભ્યોને આ ચેપ ન લાગે એ માટે તંત્ર તમામ પગલા લઈ રહ્યુ છે. સુરતમાં જે મહિલા હતા તે બિમાર હતા. પણ તે દવાખાને ન ગયા. તેમણે તુરંત જ હોસ્પિટલાઈઝ થવાની જરૂર હતી પરંતુ તે ગંભીર પરિસ્થિતમાં દવાખાને પહોંચ્યા અને તેમનું મોત થયું.
આટલુ ધ્યાન રાખો
જો શ્વાસ લેવામાં તકલીફ થાય, ખુબ તાવ આવે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો. ગરમ પાણી પીવુ. કોગળા કરવાથી બચી શકાશે. કોરોના સામે સાવચેતી એ જ બચાવ છે.