મુંબઇ શહેરના પ્રસિદ્ધ વિસ્તારના શાહૂ નગરમાં પોઝિટિવ દર્દી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આ પોઝિટિવ દર્દીનું મોત થયું છે. ઑફિસરોએ આ દર્દીને ક્વારન્ટીન સેન્ટરમાં શિફ્ટ કરાયા હતા. પરંતુ આ દર્દીનું મોત નિપજ્યું છે.
ધારાવીના શાહૂ નગર વિસ્તારમાં મળ્યો કોરોના પૉઝિટીવ 56 વર્ષીય દર્દીનું મોત
બુધવારે સાંજે શાહૂ નગરની બિલ્ડીંગમાં મળ્યો હતો કોરોનાનો દર્દી
બીએમસીના અધિકારીઓએ હૉસ્પિટલમાં કર્યો શિફ્ટ, સીલ કરવામાં આવ્યું બિલ્ડીંગ
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને બુધવારે સાંજે મુંબઇના ઘારાવીમાં કોરોના વાયરસથી સંક્રમિત એક શંકાસ્પદ દર્દીની માહિતી મળી હતી. આ દર્દીને લેવા માટે પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
ધારાવીના જે વિસ્તારમાં આ દર્દી મળ્યો હતો ત્યાં હજારોની સંખ્યામાં ઝૂપડપટ્ટીઓ છે. એવામાં આ વિસ્તારમાં સંક્રમણ ફેલાતા જોખમને જોતા અધિકારીઓની વચ્ચે હડકંપની સ્થિતિ બનેલી છે.
પરિવારના સભ્ય આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા
બીએમસીના અધિકારીઓ અનુસાર શાહૂ નગરમાં એક 56 વર્ષીય શખ્સને કોરોના પૉઝિટિવ મળ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઉપરાંત એમના પરિવારના સાત અન્ય સભ્ય પણ ક્વારન્ટીનમાં રાખવામાં આવ્યા છે. જેની તપાસ ગુરુવારે કરાવવામાં આવશે.
સીલ કરવામાં આવ્યું બિલ્ડીંગ
સૂત્રોનું કહેવું છે કે આ દર્દી વિસ્તારની એક મલ્ટીસ્ટોરી બિલ્ડીંગમાં રહી રહ્યો હતો અને ઑફિસરે હવે આ બિલ્ડીંગ પણ સીલ કરી દેવામાં આવ્યું. સાથે જ આ ઇમારતની આસપાસના ભાગોને પણ સેનિટાઇઝ કરાવવા પર પણ વિચાર કરી રહ્યા છે.
5 હજારથી વધારે લોકો આઇસોલેશનમાં
જણાવી દઇએ કે મહારાષ્ટ્રના મુંબઇમાં આ પહેલા પણ કોરોનાના ઘણા કેસ સામે આવી ચુક્યા છે. મુંબઇ સહિત પ્રદેશના અન્ય ભાગોમાં કોરોના દર્દીઓના સંપર્કમાં આવનાર 5 હજારથી વધારે લોકો આઇસોલેશન વૉર્ડ્સમાં રાખવામાં આવ્યા છે. આ તમામ લોકોની દેખરેખ માટે સરકારની તરફથી 4 હજારથી વધારે સ્વાસ્થ્યકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.