બ્રેકિંગ ન્યુઝ
સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બેઠકમાં નવા અધ્યક્ષની ચૂંટણીની સાથે-સાથે ખેડૂત આંદોલન અને કેટલાંક અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ શકે છે. એવુ માનવામાં આી રહ્યું છે કે આ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લઇને લીલી ઝંડી બતાવામાં આવી શકે છે અને ચૂંટણીની તારીખનું પણ એલાન થઇ શકે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપી દીધી હતી.
બિહાર વિધાનસભા ચૂંટણી અને કેટલાંક રાજ્યોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન પછી ગલુમ નબી આઝાદ અને કપિલ સિમ્બલ જેવા કેટલા વરિષ્ઠ નેતાઓએ સક્રિય અધ્યક્ષ બનાવાની માંગ પર વિચાર કરી રહ્યાં છે.
ADVERTISEMENT
આમ તો કોંગ્રેસ નેતાઓનું એક મોટુ જૂથ આ વાતની પેરવી કરી રહ્યાં છે કે રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસની કમાન સંભાળવી જોઇએ. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ હાલમાં જ કહ્યું હતું કે કોંગ્રેસના 99.99 ટકા લોકો ઇચ્છે છે કે રાહુલ ગાંધી ફરી તેમનું નેતૃત્વ કરે.

ADVERTISEMENT
કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારની બહારથી અધ્યક્ષ બનાવવાની કવાયત
કોંગ્રેસમાં એક વાર ફરી ગાંધી-નહેરુ પરિવારની બહારના અધ્યક્ષ બનાવવાની ક્વાયત શરુ થઇ ગઇ છે. કાર્યસમિતિની બેઠકથી પહેલા ગુરુવારના રોજ મહારાષ્ટ્રના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેનું નામ ચર્ચામાં આવ્યું છે.
ADVERTISEMENT
.jpg)
ગેહલોત તૈયાર નહીં, સુશીલ કુમાર શિંદેનું નામ ચર્ચામાં આગળ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાલ દિલ્હીમાં આવવાનો ઇન્કાર કરી દીધો છે. ગેહલોતના ઇન્કાર બાદ શિંદેના નામ પર વિચાર શુર થઇ ગયો છે. જો કે એવુ સામે આવી રહ્યું છે કે અસંતુષ્ઠ જૂથને પણ શિંદેના નામ પર કોઇ આપત્તિ નહી હોય. શિંદે બુધવારે અર્ણબ વ્હોટસએપ ચેટ મામલે પાર્ટીનો પક્ષ રાખવા સરકાર પર નિશાન સાધવા દિલ્હી બોલાવામાં આવ્યાં હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.