અંબાજી પ્રસાદ વિવાદ મામલે બનાસકાંઠા કલેક્ટરે ખાતરી આપી છે કે, ટૂંક સમયમમાં શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ જન હિતકારી નિર્ણય લેવાશે
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને કલેક્ટરે આપી ખાતરી
'શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇે ટૂંક સમયમાં જ લેવાશે હિતકારી નિર્ણય'
મંદિરમાં આવતો દરેક પૈસો જનહિત માટે વપરાય છે: કલેક્ટર
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ ટૂંક સમયમમાં જન હિતકારી નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છે.
કલેક્ટર આનંદ પટેલેનું નિવેદન
બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, મંદિરમાં આવતો દરેક પૈસો જનહિત માટે વપરાય છે અને આ મુદ્દાનો તાત્કાલિક નિર્ણય થાય તેવી અમારી પણ લાગણી છે. તેમણે ઉમેર્યું કે, તમારી લાગણી ચોક્કસ રજૂ કરાશે.
અગાઉ ચિકીના પ્રસાદ અંગે કલેક્ટર શું કહ્યું હતું
મંદિરમાં ચિકીનો પ્રસાદ રાખવાના નિર્ણય અંગે કલેક્ટરે અગાઉ જણાવ્યું હતું કે, 'પ્રસાદ બદલવાને લઇ મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો હતા. અનેક રજૂઆત અને મંતવ્યો બાદ મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે. ચિકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો 3 મહિના સુધી રાખી શકે છે.'
ચિકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવાયો
અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં મુકવાનું આયોજન છે. સોમનાથ, તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સુકા પ્રસાદની માંગણી છે. જે માંગને લઈને જ અંબાજી મંદિરમાં ચિકીના પ્રસાદનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચિકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે. જેથી સુકા પ્રસાદ અંગે મંદિરને રજૂઆત કરવામાં આવી હતી. જેથી મોહનથાળના સ્થાને ચિકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમૂલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી હાલ પૂરતી તો બંધ કરવામાં આવી છે.
કરણીસેનાનો વિરોધ
અંબાજી મંદિરમાં શુદ્ધ ઘીનો મોહનથાળ બંધ કરાતા કરણીસેના લાલઘૂમ થઈ છે. કરણી સેનાના અગ્રણીએ નિવેદન આપ્યું છે કે, પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો કરણી સેના જવાબદારી સ્વીકારવા તૈયારી છે. કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણી સેનાના અગ્રણી જે.પી. જાડેજાએ અપીલ કરી છે
જાણો મોહનથાળનું મહત્વ શું?
મોહનથાળના પ્રસાદની પ્રથા 500 વર્ષથી પણ જૂની
મોહનથાળ જ માતાજીના પ્રસાદની આગવી ઓળખ
મંદિરની સ્થાપના થઈ ત્યારથી છે પ્રસાદની પરંપરા
મોહનથાળના પ્રસાદ સાથે વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી
વર્ષોની પરંપરા મુજબ માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ બને છે
ગ્રહણ હોય કે પછી મંદિર પ્રક્ષાલન ક્યારેય પ્રસાદની કામગીરી બંધ રહી નથી
મોહનથાળના પ્રસાદમાં કોઈ કેમિકલ કે રંગ નાખવામાં આવતો નથી
કેમિકલ અને રંગ વિના પ્રસાદ સ્વાદિષ્ટ બને છે
પ્રસાદમાં ઘી અને ખાંડ હોવા છતાં કીડી ઉભરાતી નથી
પ્રસાદમાં ચિકી જ કેમ?
ચિકીના સૂકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્શ ચાલુ છે
અમૂલ બ્રાન્ડ હોવાથી ચિકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે
સોમનાથ, તિરુપતિ સહિતનાં મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે
મંદિરોની માંગ જોઈને અંબાજી મંદિરમાં ચિકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો.