બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખેડૂતોને રાહત! CM ભૂપેન્દ્ર પટેલે USથી સિંચાઈ માટે પાણી છોડવાનો આપ્યો આદેશ, પાકને સંજીવની

ગાંધીનગર / ખેડૂતોને રાહત! CM ભૂપેન્દ્ર પટેલે USથી સિંચાઈ માટે પાણી છોડવાનો આપ્યો આદેશ, પાકને સંજીવની

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 06:38 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાથી સીએમ ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ માટે પાણી છોડવાનો આદેશ આપ્યો છે.

ખેંચાતા વરસાદ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર છે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતગર્ત સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. પાણી છોડવાનો આદેશ મુખ્યમંત્રીએ અમેરિકાથી આપ્યો છે હાલમાં તેઓ અમેરિકાના પ્રવાસે છે.

વિધાનસભા અધ્યક્ષે કરી રજૂઆત

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીની રજૂઆતના પગલે મુખ્યમંત્રીએ પાણી છોડવાનો આદેશ જારી કર્યો હતો.

ગુજરાત સરકારનો બીજો મોટો નિર્ણય

ગુજરાત સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની વિદેશ લોન માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરી છે.

વધુ વાંચો : બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત સરકારે વિદેશી ભણતર લોનની આવક મર્યાદા વધારી

હાલના ઠરાવની તમામ જોગવાઈ યથાવત

આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે 'વિદેશ અભ્યાસ લોન યોજના' અંગેના અગાઉ બહાર પાડવામાં આવેલા પ્રવર્તમાન ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ યથાવત જ રહેશે. આ નિર્ણયને નાણા વિભાગ અને સરકારની 3 ઓગસ્ટ 2026ની નોંધથી મળેલી મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ