બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનના ટાઈમ અને સ્ટેશનોમાં ફેરફાર, જુઓ લિસ્ટ

ગુજરાત / અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનના ટાઈમ અને સ્ટેશનોમાં ફેરફાર, જુઓ લિસ્ટ

Last Updated: 04:56 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટરિ્મનલને અસારવા, મણીનગર અને વટવા સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ફેરફારથી અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓની ભીડને ઓછી કરશે.

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ડ કરવામાં આવી રહ્યું છે અને તેને પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. રિડેવલોપમેન્ટ કામ હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશન પર PLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવરબ્રિજ અને કોનકોર્સના બાંધકામના સંબંધમાં પાઈલિંગ કામ માટે 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 (70 દિવસ) સુધી બ્લોક લેવામાં આવશે. જેને લઈને અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટરિ્મનલને અસારવા, મણીનગર અને વટવા સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ફેરફારથી અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓની ભીડને ઓછી કરશે.

પ્રભાવિત ટ્રેનો અને બદલાયેલા સમયની વિગતો,

  1. અમદાવાદથી અસારવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેન
  • ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસને 5 જુલાઈ, 2025થી અમદાવાદથી અસારવા સ્થાળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન અસારવા સ્ટેશનથી 21.05 કલાકે ઉપડશે. આ રીતે, ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અમદાવાદને બદલે અસારવા સ્ટેશન પર 18.20 કલાકે પહોંચશે.

અમદાવાદથી મણીનગર/વટવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસને 7 જુલાઈ, 2025થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી સવારે 05.50 કલાકે ઉપડશે. આ જ રીતે, ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 5 જુલાઈ, 2025થી વટવા સ્ટેશન પર 21.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.
  • ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસનું ટરિ્મનલ 5 જુલાઈ, 2025થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી 18.20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 5 જુલાઈ, 2025થી વટવા સ્ટેશન પર 14.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.

નીચે જણાવેલી ટ્રેનોનું સ્ટોપેજ અમદાવાદ સ્ટેશન પર નહીં થાય તથા સાબરમતી સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે:

  • ટ્રેન નંબર-20495 જોધપુર-હડપસર એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 5.20 કલાકે આગમન થશે તથા 5.30 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.20 કલાકે આગમન થશે તથા 7.30 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટરિ્મનલ અરાવલી એક્સપ્રેસનું 4 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 20.49 કલાકે આગમન થશે તથા 20.59 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટરિ્મનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 4.47 કલાકે આગમન થશે તથા 4.57 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-12479 જોધપુર-બાન્દ્રા ટરિ્મનસ સૂર્યનગરી એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 3.00 કલાકે આગમન થશે તથા 3.10 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-22452 ચંદીગઢ-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 6 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 00.01 કલાકે આગમન થશે તથા 00.10 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસનું 6 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-22664 જોધપુર-ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસનું 8 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-22916 હિસાર-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 8 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-12998 બાડમેર-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 10 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-22724 શ્રી ગંગાનગર-હુજુર સાહેબ નાંદેડ એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.

વધુ વાંચો: Photos: સોસાયટીઓ પાણીમાં ગરકાવ, તો રસ્તાઓ બન્યા નદી, ક્યાંક ગામડાઓ થયા સંપર્ક વિહોણા

  • ટ્રેન નંબર-14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 21.50 કલાકે આગમન થશે તથા 22.00 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-12966 ભુજ-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 11 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-12960 ભુજ-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 7 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-22966 ભગત કી કોઠી-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-20824 અજમેર-પુરી એક્સપ્રેસનું 8 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસનું 9 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-20943 બાન્દ્રા ટરિ્મનસ-ભગત કી કોઠી એક્સપ્રેસનું 10 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 5.25 કલાકે આગમન થશે તથા 5.35 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર-19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી (જેલ સાઈડ) સ્ટેશન પર 6.48 કલાકે આગમન થશે તથા 6.58 કલાકે પ્રસ્થાન કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Railway-Station Ahmedabad-Railway-Station
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ