બ્રેકિંગ ન્યુઝ
આજે ચૈત્ર શુક્લ પક્ષની તૃતીયા તિથિ અને ગુરૂવારનો દિવસ છે. તૃતીયા તિથિ આજે બપોર બાદ 3.04 વાગ્યા સુધી રહેશે. આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે.
ADVERTISEMENT

આજે ગણગૌર વ્રત પણ છે. દરેક વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની તૃતીયાએ ગણગૌરનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે પરણિત સ્ત્રીઓ પાતાના પતિની લાંબી ઉંમર માટે પોતાના સુખ-સૌભાગ્ય માટે વ્રત કરે છે. માટે ગણગૌરના આ તહેવારને સૌભાગ્ય તૃતીયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન શિવ અને માતા ગૌરી એટલે કે પાર્વતીજીની પૂજા કરવાનું વિધાન છે.
ADVERTISEMENT
તેના ઉપરાંત તમને જણાવી દઈએ કે આજે મત્સ્ય જયંતી પણ છે. ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારના દિવસને મત્સ્ય જયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે. આજના જ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને સૃષ્ટિનું કલ્યાણ કર્યું હતું.
કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને જળ-જંતુઓ કે જળતત્વથી હારનાર દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. સાથે જ આ વ્રતને કરવાથી સુખ-સૌભાગ્ય, આરોગ્ય, પ્રેમ અને ઐશ્વર્યની પ્રાપ્તી થાય છે.
ADVERTISEMENT

પરિવાર પર મુશ્કેલી ન આવે તેના માટે
તમારા પરિવાર પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તેના માટે આજે પાંચ ગુલાબના ફૂલને ગાયત્રી મંત્ર વાંચી ડોઢ મીટર સફેદ કપડામાં બાંધીને નદીમાં પ્રવાહિત કરી દો.
ADVERTISEMENT
સારા સ્વાસ્થ્ય માટે
જો તમે જીવનમાં આરોગ્ય મેળવવા માંગો છો તો પોતાના જીવનને ખુશીઓથી ભરવા માંગો છો તો આજના દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય સ્વરૂપના દર્શન કરો. સાથે જ બે માછલીના જોડાવી તસ્વીર લગાવો.
દેવા મુક્તિ માટે
જો તમે દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આજે 5 સફેદ કોડિયો લઈ તેને લાલ કપડામાં બાંધીને માતાજીના મંદિરમાં ચડાવો અને માતાજીની વિધિવિધાન પૂર્વક પૂજા કરો. પૂજા બાદ તે લાલ કપડાને ઉઠાવીને પોતાની સાથે ઘરે લઈ આવો અને પોતાની તિજોરીમાં મુકી દો.
ADVERTISEMENT
.jpg)
ધન-સંપત્તિ વધારવા માટે
જો તમે પોતાની ધનસમ્પત્તીમાં વધારો કરવા માંગો છો કે પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો પીળી કોડી અને પારિજાત છોડના મૂળને કંકુ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીવથી પૂજન કરીને ધારણ કરો. અથવા તો પોતાની પાસે રાખો તેનાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થશે.
ADVERTISEMENT
બિઝનેસમાં સફળતા માટે
જો તમે પોતાના બિઝનેસમાં સફળતા મેળવવા માંગો છો તો આજે સ્નાન બાદ સ્વચ્છ કપડા પહેલી માતા દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરો અને પૂજા સમયે એક એકાક્ષી નારિયેળ લઈને તેના પર સાત વખત નાળાછડી લપેટીને માતાજીને અર્પિત કરો.
વધુ વાંચો: નવરાત્રીમાં વ્રત ન કરી શકતા હોવ તો કરો આ 3 ઉપાય, ઉપવાસ જેટલું જ મળશે પુણ્ય
દાંપત્ય જીવનમાં ખુશી માટે
જો તમે પોતાના દાંપત્ય જીવનમાં ખુશી લાવવા માંગો છો પોતાના સુખમાં વધારો કરવા માંગો છો તો કમલગટ્ટાને પીસીને દેશી ઘીની સફેદ બરફી મિક્સ કરીને 21 આહુતી આપો. તેનાથી તમારા દાંપત્ય જીવન ખુશીઓ આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.