બ્રેકિંગ ન્યુઝ
ચૈત્ર નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલથી થઈ ચુકી છે. નવરાત્રીનો પર્વ માં દુર્ગાને સમર્પિત છે. નવરાત્રીમાં માતા દુર્ગાના 9 ખાસ રૂપોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે લોકો નવરાત્રીનું વ્રત વિધિ-વિધાનથી કરે છે માતાજીની ખાસ કૃપા તેમના ભક્તો પર પડે છે.
ADVERTISEMENT
.jpg)
નવરાત્રીમાં ઘણા લોકો એક બે દિવસ તો ઘણા લોકો 9 દિવસ સુધી વ્રત કરે છે. ઘણી વખત એવી પરિસ્થિતિ બની જાય છે કે અમુક લોકો નવરાત્રીનું વ્રત નથી કરી શકતા. જો તમે પણ નવરાત્રીનું વ્રત નથી કરી શકતા તો આ ઉપાયથી તમે વ્રત જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.
ADVERTISEMENT
દુર્ગા મંત્રનો જાપ
જો તમે કોઈ કારણથી નવરાત્રીનું વ્રત નથી કરી શકતા તો તમે માતા દુર્ગાના મંત્રોનો જાપ કરી શકો છો. નિયમિત રીતે માતા દુર્ગાના મંત્રનો જાપ કરવાથી સુખ-સંપદાની સાથે સાથે માતાજીના આશીર્વાદ મળે છે. માતા દુર્ગાના મંત્રોમાં મોટી શક્તિ હોય છે. એવામાં તે દરરોજ માતા દુર્ગાના મંત્રનો જાપ કરો. તમને તેટલું જ પુણ્ય મળશે. જેટલું વ્રત રાખવાનું મળે છે.

ADVERTISEMENT
કન્યા પૂજન
કોઈ વિપરીત પરિસ્થિતિઓના કારણે જો તમે નવરાત્રીનું વ્રત નથી કરી શકતા તો તમે 9 દિવસ સુધી કન્યા ભોજન કરાવો. કન્યા ભોજન કરવાથી પણ તમને પુણ્યની પ્રાપ્તિ થશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે કન્યાને ભોજન કરાવ્યા બાદ તેને કંઈકને કંઈક ઉપહારમાં જરૂર આપો. તેના ઉપરાંત નવ દિવસ સુધી સતત શ્રીયંત્રની પૂજા કરો.
વધુ વાંચો: શું તમારી હથેળી પર છે આ 6 લકી ચિહ્ન? તો સમજી જજો, હોઇ શકો છો અતિ ભાગ્યશાળી
ADVERTISEMENT
અખંડ દીવો કરો
નવરાત્રીમાં અખંડ દીવો કરો. આ પ્રયત્ન કરવા માટે તમે નવ દિવસ સુધી માતા દુર્ગાની પ્રતિમાના સામે દિવો કરો. તેમની સાથે જ માતા દુર્ગાને નારિયેળ અને ચુંદડી ચડાવો. આમ કરવાથી બધી મનોકામનાઓ પુરી થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.