બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / central government employees and pensioners dearness allowance will increase 4 percent
Bhushita
Last Updated: 08:36 AM, 5 January 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલયની તરફથી મળતી માહિતી અનુસાર દર મહિને મોંઘવારીનો એક સૂચકાંક જાહેર કરાય છે જેના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને પેન્શનર્સને પણ વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. આ ભથ્થું છેલ્લા 12 મહિનાના ઔધ્યોગિક શ્રમિકોને માટે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના આધારે નક્કી કરાય છે અને પછી તેની ગણતરી કરાય છે.
ADVERTISEMENT
આ કારણો છે જવાબદાર
જો આધાર વર્ષ 2021ના અનુસાર ડિસેમ્બર 2020ના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકમાં 8 અંકનો ઘટાડો હોય તો મોંઘવારી 3 ટકા અને સૂચકાંકમાં 24 અંકનો વધારો થયો હોય તો મોંઘવારી ભથ્થું 5 ટકા આપવાનું નક્કી કરાશે. પણ એક મહિનામાં આટલો ઘટાડો કે વધારો શક્ય નથી. આ કારણે મોંઘવારી ભથ્થું 4 ટકા આપવાનું નક્કી કરાશે.
કહેવાયું છે કે ડિસેમ્બર 2020નો સૂચકાંક એક મહિના બાદ જાહેર કરાય છે અને સપ્ટેમ્બર 2020થી ઓદ્યોગિક શ્રમિકોને માટે 2016નું નવું આધાર વર્ષ લાગૂ કરાયું છે. નવા આધાર પર જાહેર કરાયેલા સૂચકાંકમાં 2.88 થી ગુણાંક કરતાં જૂના સૂચકાંકમાં બદલીને મોંઘવારી ભથ્થાની ગણતરી કરાય છે. આ ભથ્થાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ તથા યૂપી સહિત અનેક રાજ્યોના કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળી શકે છે. લગભગ દોઢ કરોડ લોકોને આ લાભ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT