દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં બિપિન રાવત રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના મોત થયા હતા.
બિપિન રાવતના નિધનથી દેશ બન્યો ગમગીન
અનુપમ ખેર સહિત અનેક બોલીવૂડ સેલેબ્સે અર્પી શ્રદ્ધાંજલિ
કંગનાએ કહ્યું- બિપિન રાવતની સેવા માટે દેશ હંમેશા આભારી રહેશે
બિપિન રાવતના નિધનના સમાચાર આવતા જ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બોલિવૂડમાં પણ શોકનો માહોલ છે. ઘણા સેલેબ્સે આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
અનુપમ ખેરે અર્પી શ્રદ્ધાંજલિ
પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરે બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું, 'CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 વધુ સૈન્ય અધિકારીઓના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. જનરલ રાવતને ઘણી વખત મળવાનું સૌભાગ્ય મળ્યું. તેમના વ્યક્તિત્વમાં અદ્ભુત હિંમત અને દેશ પ્રત્યે અગાધ પ્રેમ હતો. તેમની સાથે હાથ મિલાવતા જ હૃદય અને જીભમાંથી જય હિંદ આપોઆપ નીકળી જતો. જય હિંદ.'
CDS #GenBipinRawat, उनकी धर्मपत्नी एवं 11 और फ़ौजी ऑफ़िसर्स के निधन का सुनकर अत्यंत दुख हुआ।#जनरलरावत से मिलने का सौभाग्य कई बार मिला।उनके व्यक्तित्व में ग़ज़ब का दुस्साहस और देश के प्रति अथाह प्रेम था।उनसे हाथ मिलाकर दिल और ज़ुबान से ख़ुदबख़ुद “जय हिन्द” निकलता था! #जयहिन्द 🇮🇳💔 pic.twitter.com/AWgf7SYs0Z
કંગના રણૌતે પણ બિપિન રાવતને તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેમની તસવીર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે આ વર્ષના સૌથી દુખદ સમાચાર એ છે કે જ્યારે બિપિન રાવત અને તેમની પત્ની હેલિકોપ્ટર ક્રેશમાં પડ્યા. બિપિન રાવતની સેવા માટે દેશ હંમેશા આભારી રહેશે. ઓમ શાંતિ, જય હિન્દ!
અશોક પંડિતે શ્રદ્ધાંજલિ આપી હતી
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ ટ્વિટ કરીને બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે લખ્યું, 'બિપિન રાવતના અંતિમ કલાકોમાં, દેશે એકસાથે તેમના જીવન માટે પ્રાર્થના કરી, પરંતુ મૃત્યુની જીત થઈ. તે વાઘનું જીવન જીવતો હતો. પોતાના પરાક્રમ અને હિંમતથી દેશની રક્ષા કરી અને અંતે પણ તેણે હાર ન માની. આ દેશને ન પુરી શકાય તેવી ખોટ છે.
અભિનેતા સિદ્ધાર્થે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું
સાઉથ એક્ટર સિદ્ધાર્થે પણ સોશિયલ મીડિયા દ્વારા CDS બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય વ્યક્તિઓના મૃત્યુના વિનાશક સમાચાર મળ્યા. તેમના પરિવારને પ્રાર્થના અને કેટલાક સકારાત્મક વિકાસની આશા. જીવન ક્ષણિક અને અણધારી છે.
In the last hours of Gen. #BipinRawat d country prayed for his life in unison,but death won over.He lived a life of a tiger;defending d country with all his valour and courage and in d end too he didn’t give up without a fight. It is an irreparable loss to d nation.
ॐ शान्ति !
જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોને લઈને આર્મી બેસથી ઉપડેલા Mi-17V5 હેલિકોપ્ટરને નીલિગીરી જિલ્લાના જંગલોમાં અક્સ્માત નડ્યો હતો જેમાં સવાર 14 લોકોમોંથી 13 ના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ જીવિત બચી ગયો છે.
હેલિકોપ્ટરમાં કોણ સવાર હતું?
CDS બિપીન રાવત
શ્રીમતિ મધુલિકા રાવત, બિપીન રાવતના પત્ની
બ્રિગેડિયર એલ.એસ. લિડ્ડર
લેફ્ટિનેંટ કર્નલ હરજિંદરસિંહ
નાયક ગુરસેવકસિંહ
નાયક જિતેન્દ્રકુમાર
લાંસ નાયક વિવેક કુમાર
લાંસ નાયક બી.સાઈ તેજા
હવાલદાર સતપાલ
કોણ હતા બિપિન રાવત
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત)એ ભારતીય સેનાની સેવામાં લાંબો સમય વિતાવ્યો છે, તેઓ ઊંચાઈ પર લડવામાં નિષ્ણાંત રહ્યાં છે
બિપીન રાવત આર્મીમાં ઉંચાઈની લડાઈ અને બળવાખોરી વિરોધી કામગીરીના નિષ્ણાંત તરીકે ઓળખાય છે.
2016માં ઉરીમાં સૈન્ય શિબિર પર થયેલા આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં આંતકવાદી શિબિરોને નષ્ટ કરવા માટે આવેલી સર્જીકલ સ્ટ્રાઈક આર્મી ચીફ જનરલ બિપિન રાવતની આગેવાનીમાં કરવામાં આવી હતી
આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચાઈના બોર્ડર અને નોર્થ ઈસ્ટમાં લાંબો સમય વિતાવ્યો છે.