બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ 5 બીમારીઓમાં નુકશાન કરે છે શેરડીનો રસ, ફેટી લિવર અને ડાયાબિટીસવાળા ખાસ જાણે

હેલ્થ / આ 5 બીમારીઓમાં નુકશાન કરે છે શેરડીનો રસ, ફેટી લિવર અને ડાયાબિટીસવાળા ખાસ જાણે

Nirav Kumar

Last Updated: 04:05 AM, 14 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં શેરડીનો રસ લોકો ખુબ શોખથી પીવે છે. તેના સેવનથી તરત જ બોડીમાં એક તાજગી આવે છે. તે હેલ્થ માટે પણ ખુબ ગુણકારી છે. પણ શું તમે જાણો છો કે, શેરડીનો રસ બધા માટે ગુણકારી નથી હોતો? તેને અમુક લોકોએ ન પીવો જોઈએ.

ઉનાળામાં લોકો શેરડીનો રસ ખુબ પીવે છે. આ રસ તરત જ તાજગી આપે છે અને થાક ઘટાડે છે. પણ દરેક વસ્તુ જે સ્વાદિષ્ટ હોય તે દરેક માટે યોગ્ય નથી હોતી. શેરડીના રસમાં નેચરલ સુગર ખૂબ વધારે હોય છે અને તેને પીવાની પદ્ધતિ અને તમારા સ્વાસ્થ્ય બંને મહત્વની હોય છે. જો તમે તેને દરરોજ વિચાર્યા વગર પીતા હોવ તો તે અમુક પરિસ્થિતિઓમાં ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. આથી તમારે જાણવું જરૂરી છે કે કયા લોકોએ શેરડીનો રસ ન પીવો જોઈએ કે તેને ખૂબ કાળજીપૂર્વક પીવો જોઈએ.

  • ડાયાબિટીસ

જો તમને ડાયાબિટીસ હોય તો શેરડીનો રસ પીતા પહેલા ખૂબ કાળજી રાખો. એક ગ્લાસ શેરડીના રસમાં આશરે 40 થી 50 ગ્રામ સુગર હોઈ શકે છે. તેનો ગ્લાયકેમિક લોડ પણ 20 થી 25 ની આસપાસ હોય છે જે બ્લડ સુગરમાં ઝડપથી વધારો કરી શકે છે. જો તમે તેને પીવા માંગતા હોવ તો પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો અને તેનું પ્રમાણ ખૂબ ઓછું રાખો. સલાહ વગર તેને પીવાથી તમારા સુગર કંટ્રોલમાં ખલેલ પહોંચી શકે છે.

  • ફેટી લીવર

ફેટી લીવરની સમસ્યા ધરાવતા લોકોએ પણ શેરડીનો રસ સમજી-વિચારીને પીવો જોઈએ. તેમાં ફ્રુક્ટોઝ (એક પ્રકારની સુગર) વધુ માત્રામાં હોય છે જે લીવરમાં ફેટનું નિર્માણ વધારી શકે છે. જો તમારું લીવર પહેલેથી જ કમજોર હોય તો તમારે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ.

vtv app promotion
  • સેન્સેટીવ પેટ

જો તમને વારંવાર પેટનું ફૂલવું, ગેસ કે ઝાડાનો અનુભવ થતો હોય તો શેરડીનો રસ તમારા માટે યોગ્ય ન પણ હોય. સુગરનું વધુ પ્રમાણ ક્યારેક પેટ માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે જેના લીધે પેટ ફૂલી જાય છે કે છૂટક મળ થાય છે. આવા કિસ્સાઓમાં તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું કે તેને સંપૂર્ણરીતે ટાળવું જોઈએ.

  • વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો

જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો શેરડીનો રસ તમારા પ્રયાસને બગાડી શકે છે. એક ગ્લાસમાં આશરે 150 થી 180 કેલરી હોય છે અને તેમાં ફાઇબરનો અભાવ હોય છે. મતલબ કે તેનાથી છે કે તે પેટ ભરતું નથી પણ કેલરી ઉમેરે છે. આથી જો તમે ડાયટ પર હોવ તો તેને દરરોજ પીવાનું ટાળો.

વધુ વાંચો : બ્લડ ટેસ્ટથી કઈ કઈ બીમારીઓની પડે છે ખબર, એક્સપર્ટ પાસેથી જાણો

કમજોર રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો

કમજોર રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ શેરડીના રસથી ખાસ સાવધાન રહેવું જોઈએ. ઘણીવાર મશીન અને ખરાબ રીતે સાફ કરવામાં આવે છે, જે E. Coli જેવા બેક્ટેરિયાનું જોખમ વધારી શકે છે. જો તમે તેને પીવા માંગતા હોવ તો સ્વચ્છ જગ્યાએથી રસ પસંદ કરો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Summer Sugarcane Juice
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ