બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના હાટકેશ્વરના નાગરિકોને આખરે 10 વર્ષે મળી રાહત, વિવાદિત બ્રિજને તોડી ફરી રસ્તો બનાવાયો

હાશકારો / અમદાવાદના હાટકેશ્વરના નાગરિકોને આખરે 10 વર્ષે મળી રાહત, વિવાદિત બ્રિજને તોડી ફરી રસ્તો બનાવાયો

Vishal Khamar

Last Updated: 10:21 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના હાટકેશ્વરના નાગરિકોને આખરે 10 વર્ષે રાહત મળી છે. વિવાદિત બ્રિજને તોડીને ફરી રસ્તો બનાવી દેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. બ્રિજને કારણે લાંબા સમયથી લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાતા હતા.

હાટકેશ્વરના નાગરિકો આખરે 10 વર્ષ બાદ રાહત મળી છે. વિવાદિત એવા ફ્લાય ઓવરબ્રિજને તોડી પાડી ફરી થી રોડ બનાવી દેવામાં આવ્યો છે ..બ્રિજ ના વિવાદ ને કારણે 5 વર્ષ થી વધુ અહીં માં વેપારીઓ અને નાગરિકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા.

10 વર્ષથી નાગરિકો પરેશાન હતા

અમદાવાદ મહાનગરપાલિકા માં ભ્રષ્ટાચાર નું પ્રતીક એવા હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડી અને ત્યાર નવો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. લગભગ 10 વર્ષ અહીંના નાગરિકો પરેશાનીનો સામનો કરતા રહ્યા. ટ્રાફિક નીડ સમસ્યાથી અહીંના લોકો પીડાઈ રહ્યા હતા. બ્રિજ તોડવાનો નિર્ણય કર્યો હોવા છતાં બ્રિજ ને 3 વર્ષ સુધી દૂર ના કરવામાં આવ્યો અને હવે આખરે અહીં બ્રિજ ને તોડી નવો રોડ બનાવામાં આવ્યો છે.

ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે

બ્રિજ તોડતા હવે અહીં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે. જો કે હજુ પણ અહીંના સ્થાનિકો ઇચ્છી રહ્યા છે કે ફરી અહીં ક્યારેય નવી બ્રિજ ના બનવો જોઈએ. બ્રિજને કારણે 10 વર્ષ સુધી અહીંના નાગરિકો પરેશાન થયા. જે સર્કલ હતું તે સર્કલ જ બને જેથી નાગરિકો પરેશાન ના થાય.

રૂ 42 કરોડના ખર્ચે બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું હતુ

અમદાવાદ મનપા દ્વારા વર્ષ 2017 માં રૂ 42 કરોડ ના ખર્ચે બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું હતું જો કે બ્રિજ માં ભ્રષ્ટાચાર ને કારણે બ્રિજ 5 વર્ષ ની અંદર જ બંધ કરવો પડ્યો. બ્રિજ અંગે વર્ષ 2023 માં નિર્ણય લેવાયો કે બ્રિજ તોડી પાડવામાં આવશે જો કે આ નિર્ણય બાદ પણ બ્રિજ મામલે કોઈ કાર્યવાહી ના થઈ અને આખરે હવે બ્રીજ ને તોડી પાડવામાં આવ્યો છે અને અહીં સુધી પહેલા જેમ રોડ બનાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: સાવજ યાત્રાળુની બેગ લઈને ભાગ્યો, શેત્રુંજય પર્વત પર બની અનોખી ઘટના, જુઓ વીડિયો

બ્રિજ તોડ્યા બાદ અહીં રોડ બનાવી દેવામાં આવ્યો છે જો કે ટ્રાફિક ની સમસ્યા થી મુક્તિ મળી છે. હાલ મનપા દ્વારા અહીં ફરી ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે કોઈ પ્લાનિંગ નથી જેથી સ્થાનિકો ને સમસ્યા થી રાહત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad Hatkeshwar Bridge Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ