બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:24 PM, 7 June 2026
ભારતમાં સ્ટ્રીટ ફૂડનો ક્રેઝ ખૂબ જ વધારે છે. સામાન્ય રીતે લારી-ગલ્લા કે નાની દુકાનો પર સમોસા, કચોરી, ભજીયા કે વડાપાઉં જેવી ગરમ વસ્તુઓ ગ્રાહકોને અખબારમાં લપેટીને અથવા તેના પર રાખીને આપવાની એક જૂની અને સામાન્ય આદત છે. પરંતુ, આપણી રોજીંદી જિંદગીનો ભાગ બની ચૂકેલી આ આદત વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને FSSAI એ દેશના તમામ નાના-મોટા ખાદ્ય વેપારીઓ અને દુકાનદારો માટે એક મોટી અને કડક ચેતવણી જારી કરી છે. FSSAI એ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે જો કોઈ દુકાનદાર ખાવા-પીવાની ચીજવસ્તુઓ વેચવા કે પેક કરવા માટે અખબારનો ઉપયોગ કરતો જોવા મળશે, તો તેની સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
Serving or wrapping fried food in newspapers might seem harmless, but it carries serious health risks.
— FSSAI (@fssaiindia) June 6, 2026
Newspaper printing ink contains toxic chemicals & heavy metals like lead. When hot or greasy food comes into contact with the print, these toxins leach directly into the meal. pic.twitter.com/XAsqdxGW9Y
ADVERTISEMENT
સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે આ વખતે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. FSSAI એ પેકેજિંગ રેગ્યુલેશન 2018નો હવાલો આપતા જણાવ્યું છે કે ખોરાકના સંગ્રહ (સ્ટોરેજ), રેપિંગ (લપેટવા) કે પીરસવા માટે અખબારો અથવા તેના જેવી અન્ય કોઈ પણ અપ્રમાણિત સસ્તી સામગ્રીનો ઉપયોગ કરવો કાયદાકીય રીતે સખત વર્જિત છે. આ કડક ચેતવણી બાદ પણ જો કોઈ દુકાનદાર આ નિયમ તોડશે, તો તેને વધુમાં વધુ 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. અથવા તો રૂ. 5 લાખ સુધીનો મોટો આર્થિક દંડ ફટકારવામાં આવી શકે છે.
ADVERTISEMENT
અખબારની રદ્દી દેશના કોઈપણ ખૂણે ખૂબ જ ઓછી કિંમતે અને સરળતાથી મળી રહે છે, જેના કારણે સ્થાનિક સ્તરે વેપારીઓ તેનો ઉપયોગ પેકેજિંગ માટે લાંબા સમયથી કરતા આવ્યા છે. જો કે, તેની પાછળનું વિજ્ઞાન ઘણું ડરામણું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આ અંગે વિગતવાર માહિતી આપતા એજન્સીએ લખ્યું છે કે, અખબારોના પ્રિન્ટિંગ (છપાઈ) માટે જે શાહી (ઈંક) નો ઉપયોગ થાય છે, તેમાં સીસું (લેડ - Lead) અને અન્ય હાનિકારક ભારે ધાતુઓ (હેવી મેટલ્સ) મોટી માત્રામાં હાજર હોય છે. આ શાહીમાં અનેક પ્રકારના ઝેરી રસાયણો પણ હોય છે. જ્યારે ગરમ, તળેલું કે રસીલું ખાવાનું આ અખબાર પર મૂકવામાં આવે છે, ત્યારે તે ખોરાકની ગરમી અને તેલના કારણે અખબારની શાહી પીગળીને ખોરાક સાથે ચોંટી જાય છે. જ્યારે ગ્રાહકો આ ખોરાક ખાય છે, ત્યારે આ કેમિકલ્સ સીધા માનવ શરીરમાં પ્રવેશે છે, જે લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ અને પાચનતંત્રના રોગોનું કારણ બની શકે છે.
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં અખબારમાં ખાવાનું આપવા પર ઘણો સમય પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પરંતુ તાજેતરમાં જ આર્થિક રાજધાની મુંબઈમાં વડાપાઉં અખબાર પર પીરસાયા બાદ એક મોટી નકારાત્મક ઘટના સામે આવી હતી, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને FSSAI એ ફરી એકવાર આ બાબતે નવું સત્તાવાર અપડેટ જારી કરીને તંત્રને કડક બનવા આદેશ આપ્યો છે. એજન્સીએ દુકાનદારોની સાથે-સાથે સામાન્ય ગ્રાહકોને પણ જાગૃત રહેવા અને અખબારમાં ખોરાક લેવાનો સ્પષ્ટ ઈનકાર કરવા અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT