બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં આ બે નવા ચહેરા બની શકે મંત્રી, રાઘવ ચઢ્ઢાને પણ જવાબદારી
Last Updated: 05:17 PM, 7 June 2026
કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ મોટા મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં તેજ થઈ ગઈ છે. આ મહિનાના અંત સુધીમાં અથવા આગામી મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની કેબિનેટનો વિસ્તાર કરી શકે છે. આ વિસ્તરણમાં ખાસ કરીને એવા રાજ્યો પર મોટો ફોકસ રાખવામાં આવશે જ્યાં આગામી વર્ષોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં આગામી વર્ષે જ ચૂંટણી છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ પંજાબમાં ભાજપ કોઈ પણ ગઠબંધન વિના એકલા હાથે ચૂંટણી જીતવાની રણનીતિ બનાવી રહ્યું છે.
ADVERTISEMENT

આ જ રાજકીય ગણિતના કારણે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને આ વખતે રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી નથી, કારણ કે હાઈકમાન્ડ તેમને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સીધા મેદાનમાં ઉતારવા માંગે છે. પંજાબના અન્ય કેટલાક દિગ્ગજ નેતાઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી છે. આ દરમિયાન ચર્ચા છે કે કેબિનેટ વિસ્તરણમાં પંજાબના બે મોટા ચહેરાઓને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે, જેમાં તરુણ ચુઘ અને રાઘવ ચડ્ઢાના નામ મોખરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તરુણ ચુઘની ગણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત નજીકના અને ભરોસાપાત્ર નેતાઓમાં થાય છે. પંજાબના અમૃતસર જિલ્લાના વતની તરુણ ચુઘ શૈક્ષણિક રીતે હ્યુમન રિસોર્સ (HR) માં MBA ની ડિગ્રી ધરાવે છે. તેઓ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા રહ્યા છે અને હાલમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ જમ્મુ-કાશ્મીર, તેલંગાણા અને લદ્દાખ જેવા મહત્વના રાજ્યોમાં ભાજપના પ્રભારીની મોટી જવાબદારી પણ સંભાળી રહ્યા છે. ભૂતકાળમાં તેમણે પંજાબ ભાજપના સચિવ અને રાજ્ય ભાજપ ટ્રેનિંગ સેલના વડા તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. વર્ષ 1997 માં તેઓ ભાજપ યુવા વિંગ પંજાબના પ્રદેશ પ્રમુખ અને યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ રહી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના સંગઠનાત્મક અનુભવને જોતા મોદી સરકારમાં તેમને કોઈ કેબિનેટ સ્તરનું મહત્વનું મંત્રાલય સોંપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
આગામી કેબિનેટ વિસ્તરણમાં બીજું સૌથી મોટું અને ચોંકાવનારું નામ રાઘવ ચડ્ઢાનું સામે આવી રહ્યું છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને દેશના યુવાનોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા રાઘવ ચડ્ઢા એક સમયે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના નેતા ગણાતા હતા. જો કે, તાજેતરમાં જ તેમણે પક્ષ પલટો કરીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
રાઘવ ચડ્ઢા સહિત 'આપ' ના કુલ 7 રાજ્યસભા સાંસદોએ તાજેતરમાં જ ભાજપનું દામન થામ્યું છે, જેમાં હરભજન સિંહ, સંદીપ પાઠક, અને સ્વાતિ માલીવાલ જેવા દિગ્ગજ સાંસદોના નામ પણ સામેલ છે. રાઘવ ચડ્ઢા સંસદની અંદર અને બહાર સતત યુવાનોના મુદ્દાઓ ઉઠાવવા માટે જાણીતા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા ખૂબ વધારે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમની રીલ્સને લાખો યુવાનો જુએ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
ADVERTISEMENT
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેથી તેમનું મંત્રીમંડળમાંથી બહાર થવું નિશ્ચિત માનવામાં આવે છે. પંકજ ચૌધરીની જગ્યાએ હવે રાઘવ ચડ્ઢાને નાણાં મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. રાઘવ ચડ્ઢા ઉચ્ચ શિક્ષિત હોવાની સાથે-સાથે પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે, તેથી આ મંત્રાલયના વહીવટ અને નાણાકીય નિર્ણયો માટે તેઓ ભાજપના તમામ ઉપલબ્ધ સાંસદોમાં સૌથી યોગ્ય ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. પંજાબના આ નવા સમીકરણો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT