બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ભારતને નેપાળ બનાવવાનો પ્રયાસ...', કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર કુમાર વિશ્વાસનો કટાક્ષ

CJP Protest / 'ભારતને નેપાળ બનાવવાનો પ્રયાસ...', કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર કુમાર વિશ્વાસનો કટાક્ષ

Ajitsinh Jadeja

Last Updated: 04:04 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cockroach Janta Party Protest: કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે કવિ કુમાર વિશ્વાસે હવે સીજેપી પર કટાક્ષ કર્યો છે.

Cockroach Janta Party Protest: કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે કવિ કુમાર વિશ્વાસે હવે સીજેપી પર કટાક્ષ કર્યો છે.

કવિ કુમાર વિશ્વાસે શનિવારે (6 જૂન) દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે નૈનિતાલમાં એક કાર્યક્રમ દરમિયાન સીજેપી પર કટાક્ષ કર્યો. નામ લીધા વિના તેમણે YouTuber ધ્રુવ રાઠી અને કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપક પર નિશાન સાધ્યું હતું.

કુમાર વિશ્વાસે કહ્યું, "મને એ વાતની ખુશી છે કે જ્યારે જર્મનીમાં બેઠેલ એક યુવાન, અમેરિકામાં બેઠેલા બીજા એક યુવાન સાથે મળીને તુર્કી લાઇક્સની મદદથી ભારતને નેપાળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, એ સમયે દેશના યુવાનો દેશના સંસ્કાર બતાવવા માટે ઉભા થયા છે."

"કોકરોચ છે, તો તેનો ઈલાજ છે"

અગાઉ કોકરોચ જનતા પાર્ટી પર કટાક્ષ કરતા કુમાર વિશ્વાસે કહ્યું હતું કે કોકરોચ એવા જીવ હોય છે જે હંમેશા ઘરના અંધારા ખૂણામાં રહે છે અને ઘરની સારી વસ્તુઓને પણ બગાડે છે. કોકરોચ ગંદકીમાં પળ્યા રહે છે અને જ્યાં પણ જાય છે ત્યાં નુકસાન પહોંચાડે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જેમ લોકો પોતાના ઘરમાં કોકરોચથી છુટકારો મેળવવા માટે દવાનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે દેશમાં કોકરોચ પૈદા થવાનું શરૂ થયુ છે તો તેમને દૂર કરવા માટે હિટ જેવી દવા ઉપલબ્ધ છે.

VTV ADD

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ / હવે વારાણસી બહાર ખસેડાશે નોનવેઝની દુકાનો... શ્રદ્ધાળુઓને મોટી રાહત

સીજેપીએ જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

નોંધનીય છે કે ઓનલાઈન સંગઠનના સ્થાપક અભિજીત દીપક શનિવારે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સેંકડો લોકો જેમાં મોટાભાગે યુવાનો હતા, વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમાંથી ઘણાએ કોકરોચ માસ્ક પહેર્યા હતા અને હાથમાં ફૂલો જોવા મળતા હતા. શાળાના વિદ્યાર્થીઓ પણ તેમના માતાપિતા સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ સ્થળ પર એકઠા થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cockroach Janta Party Kumar Vishwas Uttarakhand News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ