બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'ષડયંત્રનો શિકાર ન બન્યો હોત તો હું કોંગ્રેસ અધ્યક્ષ હોત', પુર્વ CM અશોક ગેહલોતનો મોટો દાવો
Last Updated: 05:28 PM, 7 June 2026
રાજસ્થાનના રાજકારણના 'જાદુગર' ગણાતા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર એ જૂના વિવાદિત પ્રકરણને છેડીને કૉંગ્રેસ સંગઠનમાં નવી ચર્ચા જગાવી દીધી છે. ગેહલોતે એ સમયનો ઉલ્લેખ કર્યો છે જ્યારે તેઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની બિલકુલ નજીક હતા, પરંતુ છેલ્લી ઘડીએ આખી બાજી પલટી ગઈ હતી. ગેહલોતનો દાવો છે કે તેમને પક્ષના સર્વોચ્ચ પદ પર બેસાડવાનો આખરી નિર્ણય લેવાઈ ચૂક્યો હતો, પરંતુ પક્ષના કેટલાક લોકો દ્વારા રચાયેલા એક મોટા ષડયંત્રના કારણે બધું જ વેરવિખેર થઈ ગયું અને આજે પણ લોકો આ ઘટના પાછળનું અસલી સત્ય જાણતા નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેટલાક વર્ષો પહેલા જ્યારે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ હતી, ત્યારે તત્કાલીન વડા સોનિયા ગાંધી અને કૉંગ્રેસની ટોચની લીડરશિપે અશોક ગેહલોતને પક્ષની કમાન સોંપવાનું મન બનાવી લીધું હતું. અશોક ગેહલોત પણ આ જવાબદારી સ્વીકારવા માનસિક રીતે સજ્જ હતા અને તેમણે આ પદને પોતાના માટે ખૂબ જ સન્માનની વાત ગણાવી હતી.
પરંતુ, જેવો આ નિર્ણય સત્તાવાર થવાની અણી પર હતો, ત્યારે જ હાઈકમાન્ડ દ્વારા રાજસ્થાનની સ્થિતિની સમીક્ષા કરવા માટે નિરીક્ષકોને જયપુર મોકલવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા બાદ રાજસ્થાન કૉંગ્રેસમાં ભારે આંતરિક વિખવાદ અને ધારાસભ્યોનો હોબાળો જોવા મળ્યો હતો. ગેહલોતના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ આયોજનબદ્ધ સાજિશ કામ કરી રહી હતી.
ADVERTISEMENT

આ વિવાદ બાદ સમગ્ર દેશમાં એવી હવા ફેલાવી દેવામાં આવી કે અશોક ગેહલોત પોતે જ અધ્યક્ષ બનવા માંગતા નહોતા, કારણ કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી પદની ખુરશી ખાલી કરવા તૈયાર નહોતા. દેશની જનતા જ નહીં, પરંતુ ગેહલોતના પોતાના અંગત સમર્થકો અને કૉંગ્રેસના કાર્યકરો પણ આજ દિન સુધી આ જ વાતને સાચી માનતા આવ્યા છે.
ADVERTISEMENT
અશોક ગેહલોતે હવે આ ધારણાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ અધ્યક્ષ બનવા માટે સંપૂર્ણ તૈયાર હતા અને તેમણે ક્યારેય પીછેહઠ કરી નહોતી. જે કંઈ પણ થયું તે માત્ર ને માત્ર પરિસ્થિતિઓનો દુરુપયોગ અને એક ચોક્કસ કાવતરાનું પરિણામ હતું. આ સાજિશને કારણે રાષ્ટ્રીય સ્તરે તેમની રાજકીય છબીને ભારે નુકસાન પહોંચ્યું હતું અને દેશભરમાં તેમના વિશે નકારાત્મક વાતાવરણ ઊભું થયું હતું.
ADVERTISEMENT
પોતાના લાંબા રાજકીય અનુભવનો ઉલ્લેખ કરતા ગેહલોતે કહ્યું કે, "હું કોઈ અભણ કે અજાણ નેતા નથી કે જે પક્ષના આટલા મોટા પદનું મહત્વ ના સમજી શકે." તેમણે કે. કામરાજ, મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કૉંગ્રેસના ઐતિહાસિક દિગ્ગજોના નામ ટાંકીને કહ્યું કે, કૉંગ્રેસમાં અધ્યક્ષ પદ હંમેશાથી સર્વોચ્ચ સન્માનનું પ્રતીક રહ્યું છે. આ પદ મેળવવા માટે કોઈ ખાસ પરિવાર કે વિશિષ્ટ પૃષ્ઠભૂમિની જરૂર હોતી નથી. સોનિયા ગાંધી જેવા નેતાએ જ્યારે આ પદ માટે મારી પસંદગી કરી, ત્યારે મારા માટે આ જવાબદારી સ્વીકારવી અત્યંત સ્વાભાવિક અને ગૌરવપૂર્ણ બાબત હતી, પરંતુ કમનસીબે અચાનક બનેલી ઘટનાઓએ આખી તસવીર બદલી નાખી.
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
ADVERTISEMENT
પૂર્વ મુખ્યમંત્રી ગેહલોતનું કહેવું છે કે કૉંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના તે હાઈ-ડ્રામા પાછળનું સાચું કારણ અને વાસ્તવિકતા આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. તેઓ સતત મીડિયા અને લોકો સમક્ષ પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રણાલીગત રીતે જે ખોટી ધારણા (Perception) લોકોના મગજમાં બેસાડી દેવામાં આવી છે, તેને ભૂંસી નાખવી એટલી સરળ નથી. તેમણે આખરી સૂર પુરાવતા કહ્યું કે, તેઓ પોતાની ઈચ્છાશક્તિના અભાવે કૉંગ્રેસના અધ્યક્ષ બનવાથી વંચિત નથી રહ્યા, પરંતુ તે સમયની બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓ અને તેની પાછળ રચાયેલું આંતરિક ષડયંત્ર આ માટે જવાબદાર હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT