બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / CAA rules to be notified much before Lok Sabha poll

BIG NEWS / રામ મંદિર નિર્માણ બાદ મોટું એલાન કરશે મોદી સરકાર! ચાર વર્ષ પહેલા રમખાણોના કારણે અટકી ગયું હતું કામ

Parth

Last Updated: 10:29 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંશોધિત નાગરિકતા કાયદો (CAA)ને ડિસેમ્બર 2019માં સંસદમાંથી મંજૂરી મળી ગઈ હતી. જે બાદ તેના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. હવે આ કાયદો ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

  • જલ્દી જ દેશમાં લાગુ થશે CAA
  • સરકાર નોટિફાઇડ કરી શકે છે નિયમો 
  • લોકસભા ચૂંટણી 2024 પહેલા જ થશે એલાન

કેન્દ્ર સરકાર CAA ને લઈને જલ્દી જ મોટું એલાન કરી શકે છે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ એલાન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું છે કે સરકાર લોકસભા ચૂંટણી પહેલા જ આ કાયદાને નોટિફાઇડ કરી દેશે. 

શું છે કેન્દ્ર સરકારનો પ્લાન? 
અધિકારીએ એમ પણ જણાવ્યું કે નાગરિકતા આપવા માટેના નિયમો પણ તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. નાગરિકતા લેવા ઈચ્છતા લોકોએ જણાવવું પડશે કે તે કયા વર્ષે ભારતમાં દસ્તાવેજ લીધા વિના આવ્યા હતા. આ પ્રક્રિયામાં કોઈ પણ આવેદક પાસેથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવશે નહીં. 

નોંધનીય છે કે હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે CAA ને લાગુ કરવાથી કોઈ રોકી શકે તેમ નથી, કારણ કે આ કાયદો દેશનો કાયદો છે. એટલું જ નહીં પશ્ચિમ બંગાળમાં લોકસભા અને વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે અગાઉ વાયદો કર્યો હતો કે હિન્દુઓને નાગરિકતા આપવા માટે કાયદો લાવવામાં આવશે. 

દેશભરમાં ઠેર ઠેર થઈ હતી હિંસા 
બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયના એવા લોકો જેમની સાથે હિંસા કે શોષણ થયું હોય તેવા લોકોને આ કાયદા હેઠળ નાગરિકતા આપવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ ધર્મના લોકોનો સમાવેશ થાય છે. મુસ્લિમોને કાયદામાંથી બાકાત રાખવાના કારણે દેશભરમાં અને ખાસ કરીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને રમખાણોમાં 100થી વધુ લોકોની મોત પણ થઈ હતી. જોકે સરકારનું માનવું હતું કે આસપાસના તમામ દેશોમાં મુસ્લિમ સમુદાયના લોકો બહુમતી છે તેથી તેમને નાગરિકતા આપવી અશક્ય છે.

READ MORE : 

લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- 'ત્રીજી વખત મોદી સરકાર'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ