બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / this time 400 cross modi govt for third time bjp decided slogan for lok sabha elections 2024
ADVERTISEMENT
મે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હજુ 4-5 મહિના જેટલો સમય છે ત્યારે ભાજપે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીનું સૂત્ર 'અબકી બાર 400 પાર, ત્રીજી વખત મોદી સરકાર' નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભાજપે રાજ્ય, લોકસભા અને વિધાનસભા સ્તરે કન્વીનર અને સહ-કન્વીનર પણ નક્કી કર્યા છે. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં વડાપ્રધાન, ગૃહમંત્રી, રક્ષા મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા લોકસભા સમૂહોની મુલાકાત લેવાનું શરૂ કરશે.
#WATCH | Haryana CM Manohar Lal Khattar arrives at the BJP office in Chandigarh. He will hold a meeting with state ministers and party MLAs. pic.twitter.com/RW5E5LLrR8
— ANI (@ANI) January 2, 2024
ADVERTISEMENT
ભાજપે કેટલી બેઠકનો ટાર્ગેટ નક્કી કર્યો
ભાજપે લોકસભા ચૂંટણીમાં 400 પ્લસ બેઠકો જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જે 2019ની લોકસભા ચૂંટણી કરતા ઘણો વધારે છે. આ ચૂંટણીમાં ભાજપે 300 પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.
ADVERTISEMENT
#WATCH | Kolkata: On INDIA alliance, BJP MP Dilip Ghosh says, " This INDI alliance that has been formed, we can see from the last 6-7 months that no development has come. They sit together at one place, have tea and decide a date for another meeting, this is what… pic.twitter.com/Hsu4NXDzSA
— ANI (@ANI) January 2, 2024
ADVERTISEMENT
બેઠકમાં કોણ હાજર રહ્યું
આ બેઠકમાં અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ આ બેઠકમાં સામેલ થયા હતા. અયોધ્યામાં રામ મંદિરનો 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ 22 જાન્યુઆરીએ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે.
જીતી શકે 400 પ્લસ બેઠકો? સોશિયલ મીડિયામાં ચર્ચા
ADVERTISEMENT
ભાજપે લોકસભા ચૂંટણીમાં 400 પ્લસ બેઠકો જીતવાનો ટાર્ગેટ મૂકતાં જ સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ હતી કે શું ભાજપ આટલી બધી બેઠકો જીતી શકે. મોટાભાગના યૂઝર્સનું કહેવું છે કે પીએમ મોદીની લોકપ્રિયતા આજ દિન સુધી ટોપ પર છે તે હિસાબે જોતાં ભાજપ 400 પ્લસ બેઠકો જીતી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.