સવર્ણોને 10 ટકા અનામતનું બિલ લોકસભા વબાદ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે. રાજ્યસભામાં લગભગ 10 કલાક સુધી ચાલી રહેલા વિવાદ બાદ થયેલા વોટિંગમાં બિલના પક્ષમાં 165 જ્યારે વિરોધમાં માત્ર 7 વોટ પડ્યા. આ અનામતનો ફાયદો ભઠાવવા માટે એવું પણ જાણવું જરૂરી છે કે સવર્ણ જાતિના લોકોને કયા કયા ડોક્યૂમેન્ટ્સ આપવા પડશે.
આવક પ્રમાણપત્ર
અનામતનો લાભ ઊઠાવવા માટે આવક પ્રમાણપત્ર દેખાડવું ફરજીયાત થઇ શકે છે. સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે અનામતનો લાભ એમને જ મળશે જેમને વર્ષની આવક આઠ લાખ રૂપિયાથી ઓછી છે.
જાતિ પ્રમાણપત્ર
સવર્ણ અનામતનો લાભ લેવા માટે જરૂરી છે તમારે પાસે જાતિ પ્રમાણપત્ર હોય. સવર્ણ જાતિના પ્રતિયોગિઓને ક્યારેય પણ જાતિ પ્રમાણપત્ર લગાવવાની જરૂર હોતી નથી એટલા માટે મોટાભાગના લોકો પાસે જાતિ પ્રમાણપત્ર હોતું નથી.
BPL કાર્ડ
અનામતનો લાભ લેવા માટે જરૂરી છે કે તમે એ વાતનું ધ્યાન રાખો કે તમે એ વાતને પણ સાબિત કરો કે તમે સવર્ણોમાં પણ પછાત છો. એવામાં જો બીપીએલ કાર્ડ છે તો તમારા માટે આ કાર્ડ સારું સાબિત થઇ શકે છે.
PAN કાર્ડ
આજના સમયમાં PAN કાર્ડ દરેક નોકરી અને સેવાઓ માટે ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો તમે હજુ સુધી PAN કાર્ડ બનાવડાવ્યું નથી તો જલ્દીથી એના માટે અપ્લાય કરો. શિક્ષા અને નોકરીમાં હવે PAN કાર્ડ લગાવવાનું ફરજીયાત હોય છે.
Aadhaar કાર્ડ
અનામતનો લાભ ઊઠાવવા માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. આધાર કાર્ડ ભારતીય નાગરિક હોવાની ઓળખ તરીકે દેખાડવામાં આવે છે આધાર કાર્ડ દ્વારા તમારી સમગ્ર જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે એને નોકરીમાં ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન
સવર્ણોને અનામતનો લાભ લેવા માટે ઇન્કમ ટેક્સ રિટર્નના કાગળ તમારી સાથે રાખવા પડશે. ફોર્મ 16 દ્વારા તમને આ વાતનું પ્રમાણ આપી શકો છો કે તમારી આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે અને તમે અનામતના દાયરામાં આવો છો.
પાસબુકની કોપી
અનામતનો લાભ ઊઠાવવા માટે પાસબુકની કોપી તમારી સાથે રાખો પાસબુકના ત્રણ મહિનાના ઇન્સ્ટેટમેન્ટ તમારે દેખાડવા પડી શકે છે. એનાથી તમારી આવક માટે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.
જનધન યોજનાથી જોડાયેલા
પછાત સવર્ણોને આર્થિક આધાર પર નોકરીઓ અને શિક્ષામાં 10 ટકા અનામત જોઇએ તો જનધન યોજના હેઠળ બેંક અકાઉન્ટ હોવું જોઇએ. જનધન યોજના હેઠળ એમની ખાતાધારકોને લાભ મળે છે જે આર્થિક રૂપથી નબળી હોય છે.