બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બ્લેક મની રાખવા પર ન કોઈ સજા ન કોઈ દંડ! કેન્દ્ર સરકારે બદલ્યો કાયદો

બીઝનેસ / બ્લેક મની રાખવા પર ન કોઈ સજા ન કોઈ દંડ! કેન્દ્ર સરકારે બદલ્યો કાયદો

Maulik Patel

Last Updated: 05:16 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે નાનાં કરદાતાઓ માટે બ્લેક મની કાયદામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે વિદેશી બેંક ખાતું કે શેર જેવી ચલ સંપત્તિ જો 20 લાખ રૂપિયા કરતાં ઓછી હોય અને માહિતી આપવામાં ભૂલ થઈ હોય, તો દંડ કે કેસ નહીં થાય. આ નિયમ 1 ઓક્ટોબર 2024 થી લાગુ થયો છે અને માત્ર ચલ સંપત્તિ માટે જ લાગુ પડશે.

કેન્દ્ર સરકારે બ્લેક મની એક્ટ 2015 માં મોટો ફેરફાર કરી નાનાં કરદાતાઓને મોટી રાહત આપી છે. 1 ઓક્ટોબર 2024 થી લાગુ થયેલા નવા નિયમો હેઠળ જો કોઈ ભારતીય નાગરિક પાસે વિદેશમાં બેંક એકાઉન્ટ, શેર, બોન્ડ કે અન્ય ચલ સંપત્તિ હોય અને તેની કુલ કિંમત 20 લાખ રૂપિયા કરતાં ઓછી હોય, તો એવી સંપત્તિ જાહેર ન કરવાની ભૂલ માટે હવે ન તો દંડ લાગશે અને ન તો કાયદાકીય કાર્યવાહી થશે. આ રાહત માત્ર ચલ સંપત્તિઓ માટે લાગુ પડશે જેમ કે બેંક ખાતાં, શેર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે. જો કોઈએ વિદેશમાં જમીન કે ઘર ખરીદ્યું હોય, તો તે અચલ સંપત્તિ ગણાશે અને નવા નિયમ હેઠળ રાહત માટે પાત્ર નહીં ગણાય.

ASSSET

આ નિર્ણય 18 ઓગસ્ટ 2025 ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) દ્વારા જાહેર કરાયેલ આંતરિક પરિપત્રના આધારે લેવામાં આવ્યો છે. નવા માર્ગદર્શનમાં જણાવાયું છે કે, જો વ્યક્તિએ Section 42 અથવા 43 હેઠળ દંડ ચૂકવવાનો હકદાર ન બને કે ચૂકવ્યો ન હોય, તો Section 49 અને 50 હેઠળ કાયદાકીય કાર્યવાહી નહીં થાય જો વિદેશી ચલ સંપત્તિની કિંમત 20 લાખ રૂપિયા કરતાં ઓછી હોય. પહેલાની વ્યવસ્થામાં, જો વ્યક્તિએ વિદેશમાં એક નાનું બેંક ખાતું પણ ન નોંધાવ્યું હોય ભલે તેમાં 5 લાખથી પણ ઓછી રકમ હોય તો પણ ભારે દંડ અને કોર્ટકચેરીનો સામનો કરવો પડતો. હવે આવા નાનાં કિસ્સાઓ માટે સરકારने સરળ વલણ અપનાવ્યું છે.

કેવી રીતે લાગુ પડશે નવો નિયમ?

  • રાહત માત્ર 1 ઓક્ટોબર 2024 પછી સામે આવેલા કેસોમાં લાગુ પડશે.
  • જો અગાઉથી કોઈ કેસ ચાલુ છે તો તેમાં આ છૂટ મળતી નથી.
  • નિયમ માત્ર ચલ સંપત્તિ પર લાગુ છે, અચલ સંપત્તિ (જેમ કે ઘર, જમીન) માટે નહિ.
  • ઈરાદાપૂર્વક માહિતી છુપાવનારા લોકોને રાહત મળશે નહિ.
Promo New Parul

શા માટે કરાયો ફેરફાર?

આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે IT વિભાગ હવે નાનાં મુદ્દાઓમાં સમય બગાડવા માંગતું નથી. ઘણાં લોકોને ખાતરી ન હોય કે કઈ માહિતી જાહેર કરવી, અને કેટલીકવાર ભૂલથી માહિતી આપવામાં છૂટી જાય છે. હવે વિભાગ મોટાં અને ઇરાદાપૂર્વક કાળા ધનની છુપાવટ કરતા કેસ પર ધ્યાન આપશે.

વધુમાં વાંચો: 'રામાયણ' ફેમ રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું અવસાન, આઘાતમાં 'રામ-લક્ષ્મણ'

કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય ટેક્સ પદ્ધતિને વધુ વાજબી બનાવશે અને લોકોને પોતાનું વિદેશી સંપત્તિ જાહેર કરવાનું ઉત્ત્સાહિત કરશે. સાથે જ IT વિભાગે પણ પોતાના સંસાધનોનું વધુ સારું વિતરણ કરી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Foreign movable asset relief Black Money Law Amendment Foreign assets below ₹20 lakh
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ