બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 08:41 AM, 19 August 2023
રાશિ ચક્રની 12 રાશિઓમાં આખા નવ ગ્રહો એક બાદ એક પ્રવેશ કરી ચુક્યા છે અને શુભ-અશુભ યોગોનું નિર્માણ કરે છે. તેની સકારાત્મક અને નકારાત્મક અસર પૃથ્વી સહિત દરેક રાશિના જાતકો પર જોવા મળી રહી છે. જ્યોતિષ ગણના અનુસાર 17 ઓગસ્ટ 2023એ સૂર્ય ગ્રહે આખા 1 વર્ષ બાદ પોતાની જ રાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે.
વૈદિક જ્યોતિષમાં સૂર્ય ગ્રહનું સિંહ રાશિમાં ગોચર કરવું મોટો પરિવર્તન માનવામાં આવે છે. આ સમયે સિંહ રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ પહેલાથી જ બિરાજમાન છે અને સૂર્ય ગ્રહના સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી બુધ આદિત્ય રાજયોગનું નિર્માણ થયું છે. જેની સકારાત્મક અસર ચાર રાશિના જાતકો પર જોવા મળશે.
મેષ
એવા જાતકો જેમની રાશિ મેષ છે તેમના માટે સૂર્ય ગ્રહનું સિંહ રાશિમાં પ્રવેશ કરવું શુભ ફળદાયી માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકોની એકાગ્રતામાં વધારો થશે. મેષ રાશિના જાતકો સારૂ પ્રદર્શન કરશે.
જેના કારણે તેમને પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે. દરેક કામમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલાથી જ સારી રહેવાના યોગ છે. આવકમાં વધારાના પણ સંકેત મળી શકે છે. તેના ઉપરાંત લવ લાઈફ સારી રહેશે.
મિથુન
વૈદિક જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્ય ગ્રહનો સિંહ રાશિમાં પ્રવેશ કરવો મિથુન રાશિના જાતકો માટે આત્મવિશ્વાસમાં વધારો કરનાર છે. મિથુન રાશિના જાતકો લોકોની સાથે સારી બોન્ડિંગ બનાવે છે. એવામાં તમારી છવિમાં સુધાર રહેશે. જે તમારા માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. કાર્યસ્થળ પર તમને કામ માટે સરાહના મળી શકે છે. માન, સન્માન અને ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે.
સૂર્ય ગ્રહના સિંહ રાશિમાં ગોચર કરવાથી તુલા રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આ સમય છે જ્યારે તમે કામ વગર કોઈ મુશ્કેલીએ પુરૂ કરી શકો છો. અચાનક ધન લાભના પણ યોગ છે. આર્થિક સ્થિતિમાં ગજબનો ફેરફાર જોવા મળશે. સૂર્ય ગ્રહના ગોચથી ઈચ્છા અનુસાર પૈસા પ્રાપ્ત થઈ શકે છે.
ધન
સૂર્ય ગ્રહનો સ્વામી રાશિમાં પ્રવેશ કરવો ધન રાશિના જાતકો માટે કરિયર અને પર્સનલ લાઈફ માટે યોગ્ય માનવામાં આવી રહ્યો છે. તમને અનેક કામમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ એ સમય છે જ્યારે તમે જોખમ લઈને કામ કરશો જેનાથી તમને ફાયદો પણ થશે. આ સમય તમને કિસ્મતનો સંપૂર્ણ સાથ મળશે. પરિવારની ખુશીઓ વધશે. પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime