બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / boney kapoor revealers real reason of sridevi death

બોલિવૂડ / Sridevi ના નિધનના 5 વર્ષ બાદ બોની કપૂરે અસલ કારણનો કર્યો ખુલાસો, કહ્યું તે કલાકો સુધી ખાધા-પીધા વગર રહેતી અને ડોક્ટરે કહ્યું હતું કે...

Arohi

Last Updated: 02:10 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sridevi Death Bony Kapoor: બોલિવુડની સદાબહાર એક્ટ્રેસ શ્રીદેવીની અચાનક મોતે તેમના ફેંસને ચોંકાવી દીધા હતા. મોત બાદ અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે મોતના 5 વર્ષ બાદ શ્રીદેવીના પતિ બોની કપૂરે તેના કારણનો ખુલાસો કર્યો છે.

  • 5 વર્ષ બાદ બોની કપૂરે કર્યો ખુલાસો 
  • શું હતું શ્રીદેવીના મોતનું કારણ? 
  • કહ્યું તે કલાકો સુધી ખાધા-પીધા વગર....

પોતાની પ્રતિભા અને સુંદરતાથી દરેક લોકોને દીવાના બનાવનાર સદાબહાર એક્ટ્રેસ શ્રીદેવીએ એક દિવસ અચાનક દુનિયાને અલવિદા કહી દીધુ હતું. વિદેશમાં અચાનક નિધન થવાના કારણે ફેંસ ચોંકી ઉઠ્યા હતા. એવામાં ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ એક્ટ્રેસના પરિવારે આ મામલામાં હંમેશા ચુપ્પી સાધી હતી. 

પરંતુ હવે આ ઘટનામાં પાંચ વર્ષ બાદ એક્ટ્રેસના પતિ બોની કપૂરે શ્રીદેવીના મોતની હકીકતથી પડદો ઉઠાવ્યો છે. તેમણે મોતનું અસલ કારણ પણ સામે લાવ્યું છે. આખરે શ્રીદેવીને શું થયું હતું તેમણે કેવી રીતે આ દુનિયામાંથી સમય પહેલા વિદાય લઈ લીધી? 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Boney.kapoor (@boney.kapoor)

કલાકો સુધી શ્રીદેવી રહેતી હતી ભુખી 
એક રિપોર્ટ અનુસાર બોની કપૂરે શ્રીદેવીના મોતની હકીકત એક ઈન્ટરવ્યૂમાં જણાવી છે. બોની કપૂરે શ્રીદેવીના નિધનની હકીકતનો ખુલાસો કરતા સ્પષ્ટ કર્યું છે કે તે એક આકસ્મિક નિધન હતું. તેમણે કહ્યું, "તે મોટાભાગે ભૂખી રહેતી હતી. તે સારી દેખાવવા માંગતી હતી. તે હંમેશા શેપમાં રહેવા માંગતી હતી. જેથી સ્ક્રીન પર તે સારી દેખાય."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Boney.kapoor (@boney.kapoor)

તેમણે આગળ કહ્યું, "જ્યારથી તેના મારી સાથે લગ્ન થયા હાત ત્યારથી તે અમુર વખતે બ્લેકઆઉટ્સ થઈ જતી હતી. ડોક્ટર એવું કહેતા હતા કે તે લો બીપીની સમસ્યા છે. દુર્ભાગ્ય પૂર્ણ તેણે તેને ગંભીરતાથી ન લીધુ અને ઘટના બની તે પહેલા એવું જ લાગતુ હતું કે આ તેટલું ગંભીર નથી." બોનીએ જણાવ્યું કે જે સમય અમે દુબઈમાં હતા ત્યારે પણ તે ડાયેટ પર હતી.

બોનીનો થયો હતો લાઈ ડિટેક્ટર ટેસ્ટ 
પોતાના હાલના ઈન્ટરવ્યૂમાં બોની કપૂરે આગળ કહ્યું કે દુબઈ પોલીસે તેમની લગભગ 48 કલાક સુધી પુછપરછ કરી હતી. કારણ કે ભારતીય મીડિયાનું ખૂબ દબાણ હતું. પોતાની પત્નીની હત્યાના દાવા પર બોલતા કપૂરે કહ્યું કે તેમણે આ વિશે ન બોલવાનો નિર્ણય કર્યો કારણ કે દુબઈમાં પહેલા જ તેમની તપાસ થઈ ચુકી હતી અને તેમનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. 

બોની કપૂરે આગળ કહ્યું. "મેં કહ્યું હતું કે હું જે કહી રહ્યો છું તેના સિવાય મારી પાસે કહેવા માટે કંઈ નથી. તેમને ખબર પડી કે તેમાં કોઈ ગડબડી નથી. હું દરેક ટેસ્ટમાંથી પસાર થયો. જેમાં લાઈ ડિટેક્ટર અને બીજા પણ ઘણા ટેસ્ટ હતા. જે રિપોર્ટ સામે આવ્યો તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે બાથટબમાં ડૂબવાથી તેમનું મોત થઈ ગયું. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ