બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 02:10 PM, 3 October 2023
પોતાની પ્રતિભા અને સુંદરતાથી દરેક લોકોને દીવાના બનાવનાર સદાબહાર એક્ટ્રેસ શ્રીદેવીએ એક દિવસ અચાનક દુનિયાને અલવિદા કહી દીધુ હતું. વિદેશમાં અચાનક નિધન થવાના કારણે ફેંસ ચોંકી ઉઠ્યા હતા. એવામાં ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ એક્ટ્રેસના પરિવારે આ મામલામાં હંમેશા ચુપ્પી સાધી હતી.
પરંતુ હવે આ ઘટનામાં પાંચ વર્ષ બાદ એક્ટ્રેસના પતિ બોની કપૂરે શ્રીદેવીના મોતની હકીકતથી પડદો ઉઠાવ્યો છે. તેમણે મોતનું અસલ કારણ પણ સામે લાવ્યું છે. આખરે શ્રીદેવીને શું થયું હતું તેમણે કેવી રીતે આ દુનિયામાંથી સમય પહેલા વિદાય લઈ લીધી?
કલાકો સુધી શ્રીદેવી રહેતી હતી ભુખી
એક રિપોર્ટ અનુસાર બોની કપૂરે શ્રીદેવીના મોતની હકીકત એક ઈન્ટરવ્યૂમાં જણાવી છે. બોની કપૂરે શ્રીદેવીના નિધનની હકીકતનો ખુલાસો કરતા સ્પષ્ટ કર્યું છે કે તે એક આકસ્મિક નિધન હતું. તેમણે કહ્યું, "તે મોટાભાગે ભૂખી રહેતી હતી. તે સારી દેખાવવા માંગતી હતી. તે હંમેશા શેપમાં રહેવા માંગતી હતી. જેથી સ્ક્રીન પર તે સારી દેખાય."
તેમણે આગળ કહ્યું, "જ્યારથી તેના મારી સાથે લગ્ન થયા હાત ત્યારથી તે અમુર વખતે બ્લેકઆઉટ્સ થઈ જતી હતી. ડોક્ટર એવું કહેતા હતા કે તે લો બીપીની સમસ્યા છે. દુર્ભાગ્ય પૂર્ણ તેણે તેને ગંભીરતાથી ન લીધુ અને ઘટના બની તે પહેલા એવું જ લાગતુ હતું કે આ તેટલું ગંભીર નથી." બોનીએ જણાવ્યું કે જે સમય અમે દુબઈમાં હતા ત્યારે પણ તે ડાયેટ પર હતી.
બોનીનો થયો હતો લાઈ ડિટેક્ટર ટેસ્ટ
પોતાના હાલના ઈન્ટરવ્યૂમાં બોની કપૂરે આગળ કહ્યું કે દુબઈ પોલીસે તેમની લગભગ 48 કલાક સુધી પુછપરછ કરી હતી. કારણ કે ભારતીય મીડિયાનું ખૂબ દબાણ હતું. પોતાની પત્નીની હત્યાના દાવા પર બોલતા કપૂરે કહ્યું કે તેમણે આ વિશે ન બોલવાનો નિર્ણય કર્યો કારણ કે દુબઈમાં પહેલા જ તેમની તપાસ થઈ ચુકી હતી અને તેમનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
બોની કપૂરે આગળ કહ્યું. "મેં કહ્યું હતું કે હું જે કહી રહ્યો છું તેના સિવાય મારી પાસે કહેવા માટે કંઈ નથી. તેમને ખબર પડી કે તેમાં કોઈ ગડબડી નથી. હું દરેક ટેસ્ટમાંથી પસાર થયો. જેમાં લાઈ ડિટેક્ટર અને બીજા પણ ઘણા ટેસ્ટ હતા. જે રિપોર્ટ સામે આવ્યો તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે બાથટબમાં ડૂબવાથી તેમનું મોત થઈ ગયું. "
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime