મધુર ભંડારકર, કોએન મિત્રા અને ફરહાન અખ્તર સહીતના લોકોએ પોતાના ટ્વિટર હેન્ડલથી પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં બધાએ ચુકાદો સ્વીકારવો જોઈએ તેવી અને સામાજિક સૌહાર્દ તથા શાંતિ બનાવી રાખવા અપીલ કરી.
સૌને સાથે મળીને ચાલવાની બોલીવૂડ સ્ટાર્સે કરી અપીલ
કોએના મિત્રાએ વડાપ્રધાન મોદીનો માન્યો આભાર
ફરહાન અખ્તરે ચુકાદાનું સન્માન કરવા અપીલ કરી
અયોધ્યા મામલે ચુકાદો આવી ગયો છે , સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે જેમાં વિવાદિત જમીન રામલલાને સોંપી દેવામાં આવી અને સુન્ની કાક્ફ બોર્ડને અન્ય કોઈ જગ્યાએ પાંચ એકર જમીન આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને મંદિર માટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. જે બાદ ઘણા બોલીવૂડ કલાકારોએ પણ પ્રતિક્રિયા આપીને સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સમ્માન કરે છે.
Welcome the fair verdict over the #AyodhyaCase by Hon. Supreme Court. Finally the long pending issue will be resolved now. 🙏
My dear Indians, please respect the Supreme Court verdict on #AyodhyaCase today. We all need to heal together and move on from this as one nation !! 🇮🇳
અભિનેત્રી હુમ કુરૈશીએ કહ્યું કે મારા વ્હાલા ભારતવાસીઓ આજે અયોધ્યા મામલે સર્વોચ્ચ અદાલતનું સમ્માન કરો. આપણે બધાએ એક સાથે મળીને એક રાષ્ટ્રના રૂપમાં આગળ વધવું જરૂરી છે.
Humble request to all concerned , please respect the Supreme Court verdict on #AyodhyaCase today. Accept it with grace if it goes for you or against you. Our country needs to move on from this as one people. Jai Hind.
ફરહાન અખ્તરે ટ્વિટ કરતા કહ્યું કે બધાથી નિવેદન છે કે આજે અયોધ્યા મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો બધાએ સમ્માન કરવું જોઈએ. આ ચુકાદાની ગરિમાને સ્વીકારો ભલે પછી ચુકાદો તમારા પક્ષમાં હોય કે ના હોય. આપણા દેશમાં એકસાથે મળીને આગળ વધાવની જરુર છે.