બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 12:05 PM, 13 September 2023
બોલીવુડ અભિનેતા નાના પાટેકરે ફિલ્મ ‘ગદર 2’માં નરેટર બનીને વાપસી કરી છે. મોટા પડદા પર 6 વર્ષ પછી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’માં એક્ટિંગથી વાપસી કરશે. નાના પાટેકર છેલ્લે ફિલ્મ ‘કલા’માં વિલન તરીકે જોવા મળ્યા હતા, આ ફિલ્મમાં રજનીકાંત ઓપોઝિટ હીરો હતા. ફિલ્મ ‘ધ વેક્સીન વોર’થી નાના પાટેકરની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. નાના પાટેકરે અપકમિંગ ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ના ટ્રેલર લોન્ચ દરમિયાન ‘વેલકમ ટુ ધ જંગલ’ બાબતે કેટલાક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બની ગયા છે.
PRESENTING:
— Nana Patekar (@nanagpatekar) September 10, 2023
The first look of India’s first ever Bio-science film #TheVaccineWar.
Releasing worldwide on 28 September 2023. pic.twitter.com/EEqKQN23S4
નાના પાટેકરે ‘વેલકમ 3’નો હિસ્સો ના થવા પર દુ:ખ વ્યક્ત કર્યું
નાના પાટેકરે ‘વેલકમ ટુ ધ જંગલ’નો હિસ્સો ના થવા પર નિવેદન આપ્યું છે. નાના પાટેકર જણાવે છે કે, ‘હું ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં નથી. કદાચ તેમને એવું લાગે છે કે, હું ઘરડો થઈ ગયો છું અને જૂનો અભિનેતા છું. આ કારણોસર મને ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે કાસ્ટ કરવામાં આવ્યો નથી. વિવેક અગ્નિહોત્રીને લાગે છે કે, હું જૂનો થયો નથી. જેથી તેમણે મને તેમની ફિલ્મમાં કાસટ કર્યો છે. જો તમે સારું કામ કરવા માંગો છો, તો લોકો તમને પૂછશે. હવે તમે તે કામ કરવા માંગો છો, કે નહીં તે તમારા પર નિર્ભર છે.’
સર્કિટ અને મુન્નાએ ઉદય તથા મજનૂભાઈને રિપ્લેસ કર્યા
ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં નાના પાટેકર અને અનિલ કપૂર જોવા નહીં મળે. અક્ષય કુમારે તેના જન્મદિવસ પર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની જાહેરાત કરી છે. જેમાં નાના પાટેકર અને અનિલ કપૂરની જોડી જોવા નહીં મળે. વેલકમની ઉદયભાઈ અને મજનૂ જોડીને સર્કિટ અને મુન્નાની જોડીએ રિપ્લેસ કરી છે. આ નિવેદન પરથી જાણવા મળ્યું છે કે, નાના પાટેકરને ખૂબ જ દુ:ખ થયું છે.
Khud ko aur aap sab ko ek birthday gift diya hai aaj. If you like it and say thanks, I’d say Welcome(3) 😬#WelcomeToTheJunglehttps://t.co/gzy8l325fZ
— Akshay Kumar (@akshaykumar) September 9, 2023
In cinemas, Christmas - 20th December, 2024. #Welcome3 pic.twitter.com/eqWePNPrtJ
ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ 2024માં રિલીઝ થશે
વર્ષ 2007માં ‘વેલકમ’નો પહેલો પાર્ટ આવ્યો હતો, અનીસ બજ્મીએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી. વર્ષ 2015માં ‘વેલકમ’નો બીજો પાર્ટ આવ્યો હતો. આ બંને પાર્ટમાં અનિલ કપૂર અને નાના પાટેકર હતા. નાના પાટેકરનો ઉદય શેટ્ટીનો રોલ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. દર્શકોને ‘વેલકમ ટુ ધ જંગલ’માં ઉદય અને મજનૂની જોડી જોવા નહીં મળે. ‘વેલકમ ટુ ધ જંગલ’ 2024માં રિલીઝ થશે, જેમાં અક્ષય કુમાર, અર્શદ વારસી, સંજય દત્ત, રવિના ટંડન, જેક્વેલિન ફર્નાન્ડીઝ, દિશા પટણી, સુનિલ શેટ્ટી, મુકેશ તિવારી, બોબી દેઓલ, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ જેવા સ્ટાર્સ એક્ટીંગ કરતા જોવા મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime