તેમનો અંતિમ સંસ્કાર મણિકર્ણિકા ઘાટ પર કરવામાં આવ્યો
આ દરમિયાન ભાજપ સાંસદ રવિ કિશન આંખમાં આંસૂ સાથે પોતાના પિતાને અંતિમ વિદાય આપી. આ દરમિયાન તેઓ ઘણા ભાવુક પણ થઇ ગયા. તેઓએ કહ્યું કે, પિતાજી અમારી દુનિયા હતા, આજે તેઓ સાથે નહી. મારા કોઇ ગુરુ નહોતા. ન મેં ભગવાનને જોયા છે. આધ્યાત્મિકતાથી લઇને જીવન જીવવું પિતાજીએ જ મને શીખવ્યું.
તેઓએ કહ્યું કે પિતાજી મારા ગુરુ પણ હતા અને ભગવાન પણ. આજે હું ખૂબ જ એકલો પડી ગયો છું. તેમણે બે મહીનાથી બીમાર હતા. 31 વર્ષ દર વર્ષે આવશે પરંતુ શબ્દોમાં ન બતાવી શકું કે મેં શું ગુમાવ્યું.
નોંધનીય છે કે, ગત કેટલાક મહીનાઓ થી મુંબઇમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. જોકે, તબિયતમાં સુઘાર ન થતા તેઓએ વારાણસીમાં પોતાનો દેહ ત્યાગ કરવાની ઇચ્છા દર્શાવી હતી. એવામાં 15 દિવસ પહેલા તેઓ વારાણસી લાવવામાં આવ્યા હતા.