બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Big news about Team India, King Kohli will not play the other three Test matches against England

ક્રિકેટ / ટીમ ઇન્ડિયાને લઇ માઠા સમાચાર, ઈંગ્લેન્ડ સામેની અન્ય ત્રણ ટેસ્ટ મેચ પણ નહીં રમે કિંગ કોહલી

Megha

Last Updated: 10:48 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની ટેસ્ટ સિરીઝની કોઈપણ મેચમાં નહીં રમે, ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો કહી શકાય છે.

  • ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર
  • બાકીની ત્રણ ટેસ્ટ મેચ નહીં રમે કિંગ કોહલી 
  • આ અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની બાકીની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી સિરીઝની કોઈપણ મેચમાં નહીં રમે અને ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો કહી શકાય છે.

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ 2 ટેસ્ટ ન રમનાર કોહલીએ અંગત કારણોસર છેલ્લી 3 મેચમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું છે. જો કે આ વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી આ અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.

એક અહેવાલ અનુસાર વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની સીરિઝની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાંથી નામ પાછું લીધું છે. કહેવાય રહ્યું છે કે શુક્રવારે સિલેક્ટર્સે બાકીની ત્રણ મેચના સિલેક્શન માટે ઓનલાઈન મિટિંગ કરી હતી જેમાં કોહલીએ સિલેક્ટર્સેને જણાવ્યું હતું કે તેઓ બાકીની મેચમાં હિસ્સો નહીં લઈ શકે. 

વધુ વાંચો: 'એવરેજ ખેલાડીઓ જ તેમની એવરેજ જુએ', પાકિસ્તાનના આ સ્ટાર ખેલાડીએ વિરાટ કોહલી વિશે આપ્યું મોટું નિવેદન

આ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને વિરાટ કોહલીના ન રમવાને વિશ્વ ક્રિકેટ માટે મોટો ફટકો ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે જો વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચમાં નહીં રમે તો તે માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટ માટે પણ મોટો ફટકો હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ