15મી જુલાઈથી 50 ટકા કેપેસિટી સાથે શાળા અને કોલેજ શરૂ કરાશે
ગુજરાતમાં તા. ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજીસ ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. જો કે આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.
શિક્ષણ પ્રધાને વડોદરામાં આપ્યું હતું નિવેદન
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધતા માર્ય 2021માં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યાં સૌ પ્રથમ 8 મહાનગર પાલિકામાં પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. તો થોડા દિવસ અગાઉ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વડોદરાની મુલાકાત દરમિયાન શાળાઓ અને કોલેજો ખોલવા અંગે કહ્યું હતું કે, સરકાર તમામ સ્થિતિનું આંકલન કરીને તબક્કાવાર શાળાઓ અને કોલેજોને ખોલવાની મંજૂરી આપશે.
આ કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્યસચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્રસચિવ એસ.જે.હૈદર, મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.