બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ભારત / Big accident in Odisha: 7 dead, 7 others injured in collision between two bikes, three vehicles
Vishal Khamar
Last Updated: 08:27 AM, 27 January 2024
ઓડિશાના કોરાપુટ જિલ્લામાં શુક્રવારે બે બાઇક, એક ઓટોરિક્ષા, એક ટ્રેક્ટર અને એક SUV એકસાથે અથડાયા હતા. આ અકસ્માતમાં મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત બોરીગુમ્મા વિસ્તારમાં થયો હતો. ઘાયલોમાં અમુકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેને કોરાપુટની શહીદ લક્ષ્મણ નાયક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અન્ય ઘાયલોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
SUV ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને ઓટો રિક્ષાને ટક્કર મારી
અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એસયુવી અને ઓટો-રિક્ષા એક જ દિશામાંથી આવી રહી છે અને ટ્રેક્ટર વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યું છે. સ્પીડમાં આવતી એસયુવી ઓટો-રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે, ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બાઇક એસયુવી સાથે અથડાઈ હતી. આ પછી SUV ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને ઓટો રિક્ષાને ટક્કર મારી. જેના કારણે ઓટો રિક્ષા પલટી ગઈ હતી.
VIDEO | Seven people were killed in an accident in Odisha’s Borigumma earlier today. pic.twitter.com/WqqsiSDw4Q
— Press Trust of India (@PTI_News) January 26, 2024
બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા
પોલીસે જણાવ્યું કે ઓટો-રિક્ષામાં 15 લોકો સવાર હતા. ટક્કર બાદ કેટલાક મુસાફરો રસ્તા પર પડી ગયા હતા અને બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે SUV એ ઑટો-રિક્ષાને ટક્કર મારતાંની સાથે જ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બીજી બાઇક SUV સાથે અથડાઈ હતી અને બાઇક પર સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી
મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારોને 3 લાખ રૂપિયાની સહાયની રકમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને વધુ સારી સારવાર આપવાના નિર્દેશો પણ આપ્યા છે અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime