બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Bhupendrasinh chudasama may not MLA now what effect on rajya sabha election
ADVERTISEMENT
શું આવશે રાજ્યસભાની ચૂંટણીમાં ફેરફાર
ભૂપેન્દ્રસિંહના વિરૂદ્ધમાં ચૂકાદાથી રાજ્યસભાની ચૂંટણી પર અસર થશે . MLA પદ રદ થાય તો ભાજપનો એક મત ઓછો થશે. ભુપેન્દ્રસિંહનું ધારાસભ્ય પદ્દ રદ્દ થતા રાજ્યસભાના ગણિતમાં ફેરફાર થશે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો એક મત ઓછો છે. ભાજપ પાસે 102 ધારાસભ્ય રહ્યા છે. કોંગ્રેસ પાસે 68 અને 1 અપક્ષ ધારાસભ્ય છે.
ADVERTISEMENT
શું હતી ઘટના અને શું આવ્યો ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો આપ્યો છે. 2017ની ધોળકા વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઈ હતી. જેને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે 2017ની વિધાનસભા ચૂંટણીને રદ જાહેર કરી છે..જેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વિરુદ્ધ ચુકાદો આવ્યો છે.
ADVERTISEMENT
ભુપેન્દ્રસિંહ 2017ની ચૂંટણીમાં 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે.
અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે, આ કારણોસર ચૂંટણી રદ્દ થવી જોઈએ તેમજ પોતાને વિજેતા જાહેર કરાવો જોઈએ એવી માંગણી રાઠોડે કરી હતી. હાઈકોર્ટે 429 પોસ્ટલ બેલેટ રદ્દ કરવાનો નિર્ણય ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે. પોસ્ટલ બેલેટમાં મળેલા મતમાંથી 429 મત રદ્દ થતાં ચુડાસમાને વિજેતા જાહેર કરાયા હતા.
ADVERTISEMENT
હાઈકોર્ટના ચૂકાદાને લઈને નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
કોર્ટનો ચુકાદો અમારા માટે આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટમાં અમે કાયદાકિય રીતે અપીલ કરીશું. અમે ભુપેન્દ્રસિંહની સાથે છીએ. ભુપેન્દ્રસિંહને જે રીતે જરૂર પડે અમે સમર્થન કરીશું. હાઈકોર્ટના ચૂકાદાનો અભ્યાસ ચાલી રહ્યો છે. વકીલોની સલાહ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ આગળ કામ કરશે. હાઈકોર્ટના ચૂકાદાને અમે SCમાં પડકારીશું. પ્રથમ તબક્કે MLA પદ રદ ગણાય તેવુ વકીલોનું અવલોકન છે.
ADVERTISEMENT
અમિત ચાવડાએ પણ આપી પ્રતિક્રિયા
અશ્વિનભાઈએ મક્કમતાથી ન્યાયાલય પર વિશ્વાસ રાખીને લડ્યા. સરકાર ખોટી રીતે અર્થઘટન કરી તેમના માણસોને બચાવવા માટે પ્રયાસ ન કરે. કાયદાનું સંપૂર્ણ પણે અમલ થાય તેવી આશા રાખીએ છીએ. હાઈકોર્ટનો ચુકાદો છે તેની અમલદારી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. હાઈકોર્ટના ચુકાદા બાદ ભુપેન્દ્રસિંહે રાજીનામું આપી દેવું જોઈએ. હાઈકોર્ટે પોતે ચૂંટણી પ્રક્રિયાને ખોટી ગણાવી છે. પ્રજાના મતે તમે ચૂંટાયા નથી, વિજેતા ખોટી રીતે જાહેર કરાયા છે ત્યારે પદ પર ન રહેવું જોઈએ. સરકાર પણ ન્યાયાલયની પ્રક્રિયાને સન્માન આપવું જોઈએ. મુખ્યમંત્રીએ ભુપેન્દ્રસિંહને રાજીનામું આપવા કહેવું જોઈએ. રાજ્યસભાની ચૂંટણી હાલ સ્થગિત કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.