બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Bhavnath Temple Celebrate Maha Shivratri 2020 Fair junagadh Gujarat

મીની કુંભ / બંમ બંમ ભોલે... ભોળાનાથની જાનમાં જોડાવા, લાખોની સંખ્યામાં સંતો-મહંતો અને ભક્તોના જૂનાગઢમાં ધામા

Hiren

Last Updated: 11:11 PM, 19 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન ભોળિયાના ધામ એવા જૂનાગઢ જ્યાં શિવરાત્રીના મેળાની ધૂમ લાગી છે. લાખોની સંખ્યામાં સાધુ-સંતો અને લોકો ઉમટી પડ્યા છે. કારણ કે, હંમેશાથી શિવરાત્રીનું જૂનાગઢમાં અનેરું મહત્વ છે. અહીં દેશ-વિદેશથી પણ સાધુ-સંતો ભગવાન ભોળાનાથના દર્શન માટે આવી પહોંચ્યા. ભગવાનની રવાડીમાં ભાગ લેશે અને ખુદ ભગવાન શિવ સાધુના વેશમાં મ્રૂગીકુંડમાં ડુબકી લગાવે છે. ત્યારે જાણો કેવો છે ગઢ ગીરનારની તળેટીમાં ભોળિયાના ભજન કિર્તનનો માહોલ.

  • શિવરાત્રીના મેળામાં ભક્તો ઉમટ્યા 
  • લાખો સંતો-મહંતોના ધામા
  • ભક્તીના રંગમાં રંગાઈ તળેટી 

જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે. એટલે કે શિવરાત્રીને હવે માત્ર બે જ દિવસની વાર છે. ત્યારે લાખોની સંખ્યામાં જૂનાગઢમાં ભાવિકો ઉમટી પડ્યા છે. મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. સાધુ સંતોનો જમાવડો ભેગો થયો છે. અખાડાઓ પોતાના કરતબોમાં મસ્ત છે. તો નાગા સાધુઓ તેની ધુણી ધખાવીને ધ્યાનમાં મગ્ન બેઠા છે.

અહીં ભક્તિ ભાવ છે, માન સમ્માન છે, નાનેરાથી માંડી મોટેરા સૌકોઈમાં ખુશીનો માહોલ છે. ઠેરઠેર અન્નના ક્ષેત્રો ચાલી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, દુનિયાનું સાચું સુખ અને ખુશી તો અહીં જ છે. જોકે આપણે શિવરાત્રી અને જૂનાગઢની જ વાત કરી રહ્યા છે. ત્યારે મૃગીકુંડ કેવી રીતે ભૂલી શકાય. કહેવાય છે કે, આ એજ મૃગીકુંડ છે. જેમાં ખુદ ભગવાન ભોળાનાથ સાધુના વેશમાં ડુબકી લગાવવા માટે આવે છે. શાહી સ્નાનમાં જેટલા પણ સાધુ કુંડમાં ડુબકી લગાવે છે તેમાંથી એક સાધુ ફરી બહાર આવતા જ નથી. જોકે આ લોક માન્યતા છે. જેમાં લોકોની આસ્થા જોડાયેલી છે.

આસ્થા પણ કેમ ન હોય કારણ કે, આખુ વર્ષ જૂનાગઢમાં એકપણ નાગા સાધુ જોવા મળતા નથી. પરંતુ જ્યારે શિવરાત્રી આવે કે, એકાએક નાગા સાધુઓ લાખોની સંખ્યામાં જૂનાગઢમાં ઉમટી પડે છે. તે ક્યાંથી આવે છે. તે ક્યાં જાય છે. તેની કોઈને જાણ પણ નથી હોતી કે કોઈ જાણી પણ શક્તું નથી. આ મેળામાં મહિલાઓ અને દિકરીઓ પણ હોય છે. સૌકોઈ ભોળાનાથના દર્શન કરે છે. પરંતુ ઈતિહાસ કહે છે. આજ સુધી ભવનાથની તળેટમાં ક્યારેય કોઈ ઘટના નથી ઘટી. કારણ કે, અહીં ભગવાન ભોળાનાથ સૌકોઈની રક્ષા કરે છે. અહીં આવતા સૌ ભક્તોને ભગવાન ભોળાનાથમાં શ્રદ્ધા છે. શિવરાત્રીને હજૂ બે દિવસની વાર છે. ત્યારે અખાડાઓ દ્વારા શાહી સ્નાન અને રવાડીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાનની જાન જોડવાની તૈયારી થઈ રહી છે. જેમાં તમે પણ જાનૈયા બની જોડાઈ શકો છે. કારણ કે, ભગવાનની જાનમાં જોડાવા માટે આમંત્રણ જરૂર હોતી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

MahaShivratri 2020 gujarat junagadh news ગુજરાત જૂનાગઢ મહાશિવરાત્રી maha shivaratri 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ