બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / નકલી દારૂ પીવાથી ભાવનગરમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક 3, કુલ 17 સારવાર હેઠળ

ગુજરાત / નકલી દારૂ પીવાથી ભાવનગરમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક 3, કુલ 17 સારવાર હેઠળ

Published By: Nidhi Panchal

Last Updated: 11:29 AM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં નકલી દારૂના કેસમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે, જ્યારે કુલ 17 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દારૂ કેસની તપાસ હવે SMCને સોંપવામાં આવી છે અને પોલીસે ચાર બુટલગરોને ઝડપી પાડ્યા છે.

ભાવનગરમાં નકલી દારૂના કેસને લઈને ચકચાર મચી છે. આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ નરેન્દ્રસિંહ યાદવ અને ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું છે. નકલી દારૂના કારણે લોકોની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ કેસમાં કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે.

bhavnagar

નકલી દારૂ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની તપાસ SMCને સોંપવામાં આવી છે. બીજી તરફ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે નકલી દારૂના કેસમાં ચાર બુટલગરોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા પકડાયેલા ચારેય બુટલગરોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર કેસમાં તેમની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ

હાલ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આમ, ભાવનગરમાં નકલી દારૂના કેસ બાદ કુલ 17 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. બે લોકોના મોત અને મોટી સંખ્યામાં લોકો સારવાર હેઠળ હોવાના કારણે સમગ્ર મામલો ગંભીર બન્યો છે.

તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા

આ કેસમાં નકલી દારૂ ક્યાંથી આવ્યો, કોણે તેનું વેચાણ કર્યું અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ચાર બુટલગરોને પકડી લીધા હોવાથી હવે તેમની પૂછપરછમાંથી નકલી દારૂના સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : અમદાવાદ, ગાંધીધામ-મુન્દ્રા સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ITના દરોડા, મોટા પાયે કરચોરીની આશંકા

ભાવનગરમાં બનેલી આ ઘટનાને પગલે નકલી દારૂના વેચાણ સામે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ બે લોકોના મોત થયા છે અને 17 દર્દીઓ સારવાર હેઠળ છે. SMC દ્વારા કરવામાં આવતી તપાસમાં સમગ્ર મામલાની વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Liquor Case SMC Investigation Bhavnagar Fake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ