બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Bapu is not retired yet! Shankarsinh Vaghela's big game in Delhi, Gandhi family's tension will increase
Mehul
Last Updated: 10:23 PM, 16 March 2022
ગુજરાતીમાં કહેવત છે 'પ્રીત ખાંડાની ધાર' આ ઉક્તિ ગુજરાતની રાજનીતિના બાપુ ઉર્ફ શંકરસિંહ વાઘેલા માટે,વર્તમાન સમયમાં એકદમ ફિટ બેસે છે. 2017થી શંકરસિંહ વાઘેલા 'તરણુ' લીધા વગર 'શરણું'શોધે છે. ત્યારે, 82 વર્ષે પણ 28નાં જુવાનીયાને શરમાવે તેવો તરવરાટ દર્શાવી બાપુ કોન્ગ્રેસના દિગ્ગજ 'અસંતુસ્ટ'ની બેઠકમાં દિલ્લી પહોચી ગયાનાં સમાચાર છે. ગુજરાત કોંગ્રેસમાં એક સમયે જેમના નામની તૂતી બોલતી હતી, અને કેન્દ્રમાં અહેમદ પટેલ બાદ 'પડ્યો બોલ' ઝીલાતો હતો, તેવા શંકરસિંહ આજે કોન્ગ્રેસના ધૂર્ત વિરોધી દળની બેઠકમાં પહોચતા નવી ચર્ચા જાગી છે.
બેઠકમાં કયા-કયા નેતાઓ હતા?
પંજાબમાં સતા ગુમાવ્યા બાદ કોન્ગ્રેસના અસંતુસ્ટ' ફરીથી ચર્ચામાં આવ્યા છે. ગત સપાહે ગુલામનબી આઝાદના ઘરે યોજાયેલી એક બેઠકમાં મનીષા તિવારી અને કપિલ સિબ્બલ જોડાયા હતા. આ ત્રણેય નેતાઓ કોંગ્રેસનાં અસ્ન્તુસ્ટ G-23નો ભાગ છે. કહેવાય છે કે, આ જૂથ ફરિ એકવાર તત્કાલ બેઠક બોલાવીને પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટેની માગણી કરી શકે છે. આજે ફરીમળેલી બેઠકમાં શંકરસિંહની હાજરીથી અનેક તર્ક વિતર્ક શરુ થયા છે.
પહેલીવાર બેઠકમાં કોણ આવ્યા?
શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ગુજરાતમાં પોતાની પાર્ટી રાજપાના 'ટનાટન' પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના કપડા મંત્રી રહી ચુક્યા છે. 2017 માં સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલ સાથે કથિત વાંધો પડતા બાપુએ કોંગ્રેસ છોડી,પણ એ પહેલા તેમના કથિત જૂથના ધારાસભ્યોને પાર્ટીમાંથી 'રવાના ' કરાવ્યા. પોતાના જન્મદિવસે જ બાપુએ મોટું એલાન કરી કોંગ્રેસ છોડી . રાજ્ય સભાની ચૂંટણી વેળા, ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા. બાપુએ વિધાનસભા ચૂંટણી વેળા 'જન વિકલ્પ'મોરચો રચ્યો. પણ તેમાંથી પોતાના પુત્ર મહેન્દ્રસિંહને ચૂંટણી નાં લડાવી. પાછળથી મહેન્દ્રસિંહ ( કદાચ પખવાડીયા પુરતા જ ) ભાજપમાં આવ્યા. શંકરસિંહને ભાજપમાં લાભ જોવા મળ્યો, પણ પછી સ્થિતિ પારખી પારોઠના પગલા ભર્યા.
ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ અને પ્રભારીની વરની પહેલા 'શંકરસિંહ આવે છે', તેવા બ્યુગલ સંભળાયા. બાપુ પણ કોઈ શર વગર કોંગ્રેસમાં જોડવા તૈયાર હતા, પણ દિલ્લીમાં ક્યાંક બે વહેતનું છેટું પડ્યું. હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 આવી રહી છે ત્યારે બાપુ પાછા સક્રિય બન્યા છે. પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીના અસંતુસ્ટ સાથે.
પહેલી વાર ક્યારે ચર્ચામાં આવ્યો G-23
ઓગસ્ટ -2020 માં આ જૂથ પહેલીવાર ચર્ચામાં આવ્યુ. એ વખતે આ સમૂહ કોન્ગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પૂર્ણ સમયના અધ્યક્ષ બનાવવા અને સગઠનમાં તળિયાથી નળિયા સુધીના બદલાવની માંગ કરી હતી. આમાં 23 નેતાઓના હસ્તાક્ષર હતા. એટલે આ જૂથને G-23 નામ અપાયું હતું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army