બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'અમે ઉડીને નથી આવ્યાં, અમે ક્યાંક નહીં જઇએ', બાંગ્લાદેશ હિંસા વચ્ચે હિન્દુઓની ભાવુક અપીલ
Last Updated: 12:24 PM, 10 August 2024
બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનના કારણે શેખ હસીનાને દેશ છોડીને ભાગવો પડ્યું, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ સામાન્ય નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશમાં સતત હિંદુઓને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. હિંદૂ સમુદાયના લોકો પર હુમલા, આગ ચાંપવી અને લૂટપાટ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

હવે તેના વિરોધમાં બાંગ્લાદેશ હિંદૂ જાગરણ મંચે પ્રદર્શન શરૂ કરી દીધુ છે. રાજધાની ઢાકાના શાહબાગમાં શુક્રવારે હજારો હિંદૂ જમા થયા અને હિંસાના સામે અવાજ ઉઠાવ્યો. ઢાકાના એક રિપોર્ટ અનુસાર અહીં હિંદૂઓ પર હુમલાના વિરોધમાં અવાજ ઉઠવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આયોજકોએ કહ્યું કે દીનાજપુરમાં 4 હિંદૂ ગાવને સળગાવવામાં આવ્યા છે. જેના કારણે ઘણા હિંદૂ બેસહારા થઈ ગયા છે. મજબૂરીમાં તેમને સીમાના વિસ્તારોમાં શરણ લેવી પડી રહી છે.

ADVERTISEMENT
"અમે અહીં ઉડીને નથી આવ્યા, દેશ નહીં છોડીએ"
રિપોર્ટ અનુસાર શાહબાગ ચાર રસ્તા પર વિરોધ જતાવતા હિંદુઓની સંખ્યા હજારોમાં હતી. આ રેલીમાં હિંદુ સમુદાયે અમુક માંગ પણ કરી છે. તેમાં અલ્પસંખ્યક મંત્રાલયની સ્થાપના, અલ્પસંખ્યક સંરક્ષણ આયોગનું ગઠન, અલ્પસંખ્યકોના સામે હુમલો રોકવા માટે કડક કાયદો અને અલ્પસંખ્યકો માટે 10 ટકા સંસદીય સીટો ફાળવવાની માંગ કરી છે.
ADVERTISEMENT

નેશનલ પ્રેસ ક્લબ સામે જમા થયા હતા પ્રદર્શનકારી
ADVERTISEMENT
પ્રદર્શનકારી બપોરે 3 વાગ્યાના નેશનલ પ્રેસ ક્લબના સામે જમા થયા હતા. રેલીમાં એક હિંદૂ નેતાએ કહ્યું કે અમે આ દેશમાં પેદા થયા છીએ આ દેશ બધાનો છે. અહીંના હિંદૂ દેશ નહીં છોડે. આ અમારે પૂર્વજોની જન્મભૂમિ પણ છે.
વધુ વાંચો: લોન થઇ મોંઘી, વધી જશે EMI, દેશની આ 3 સરકારી બેંકોએ વધાર્યું ગ્રાહકોનું ટેન્શન
ADVERTISEMENT
અહીં અમે ઉડીને નથી આવ્યા. આ કોઈના બાપનો દેશ નથી. તેમણે આગળ કહ્યું કે ભલે મરી જઉ, પોતાની જન્મભૂમિ નહીં છોડુ. આ સમયદરમિયાન લોકોએ નારા લખેલા પેમ્ફલેટ પણ પકડ્યા હતા. જેમાં લખ્યું હતું કે ધાર્મિક શિક્ષાની કોઈ જરૂર નથી. આવો માનવતાની શિક્ષામાં શિક્ષિત થઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.