બ્રેકિંગ ન્યુઝ
પ્રાઈવેટ સેક્ટરના એક બેંકના શેર રાખનાર રોકાણકારો માટે ખુશખબર આવી છે. બંધન બેંકના સંસ્થાપક અને સીઈઓ ચંદ્ર શેખર ધોષના રાજીનામા બાદ તેમના શેર 40 ટકા સુધી ઘટી શકે છે. તેમણે આ વર્ષે 9 જુલાઈએ રાજીનામું આપ્યું હતું. બ્રોકરેજ ફર્મ જેફરીઝે બંધન બેંકની રેટિંગ Buyથી ડાઉનગ્રેડ કરીને અંડરપરફોર્મ કરી દીધી છે.
ADVERTISEMENT
.jpg)
બ્રોકરેજે બંધન અને બેંકના ટાર્ગેટ પ્રાઈસ 40% ઘટાડીને 290થી 170 કરી દીધી છે. આ સંશોધિત ટાર્ગેટ પ્રાઈઝ હાલના સ્તરોમાં 14%ના સંભવિત ઘટાડાના સંકેત આપે છે. 2024માં અત્યાર સુધી બંધન બેંકના શેરોની નિફ્ટી બેંક ઈન્ડેક્સ પર સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે જેમાં લગભગ 20%નો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
શેરોનું હાલનું પ્રદર્શન
જો બંધન બેંકના શેરોનું હાલનું પ્રદર્શન જોઈએ તો છેલ્લા પાંચ વેપારી સેશનમાં 7%થી વધારે વધારો જોવા મળ્યો છે. શુક્રવારે શેર 197.40 રૂપિયા પર બંધ તયા હતા. છેલ્લા એક મહિનામાં સ્ટોકે લગભગ 3%નું રિટર્ન આપ્યું છે. પરંતુ છેલ્લા છ મહિનામાં લગભગ 20 ટકા તૂટ્યો છે. તેના 52 અઠવાડીયાનું હાઈ 272 રૂપિયા અને લો 153.15 રૂપિયા છે.
જેફરીઝે પોતાની નોટમાં લખ્યું છે કે સંસ્થાપકનું રાજીનામુ એક નકારાત્મક આર્ચર્ય છે. ભલે બોર્ડે તેની ત્રણ વર્ષની પુનર્નિયુક્તિને મંજૂરી આપી દીધી હતી. તેનું હાલ ભારતીય રિઝર્વ બેંકથી પરવાનગી નથી મળી.
ADVERTISEMENT

વધુ વાંચો: આ શેર 1300 રૂપિયાને આંબશે, એક્સપર્ટએ આપી રૂપિયા નાખવાની સલાહ, ફાયદો પાક્કો
ADVERTISEMENT
ગ્રોથ આઉટલુક પણ કર્યું ઓછુ
બ્રોકરેજ અનુસાર બેંકમાં વધારે વરિષ્ઠ કર્મચારી છે. કોઈ પણ સંભવિત અનિશ્ચતતાથી બેંક માટે ધીમો ગ્રોથ અને હાઈ લોન ખર્ચ થઈ શકે છે. આ અનુશ્ચિતતાઓના પરિણામસ્વરૂપ, જેફરીને નાણાકીય વર્ષ 2025-2026 માટે પોતાના ક્રેડિટ ખર્ચની સાથે સાથે બંધન બેંક માટે પોતાના ગ્રોથ આઉટલુકને ઓછુ કરી દીધુ છે. તેને એવી પણ આશા છે કે તેને અનિશ્ચિતતાઓના કારણે બંધન બેંકના મુલ્યાંકન ખતરામાં રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.