બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અમદાવાદ / Ayodhya ram mandir pran pratishta main prasad is being made in ahmedabad gujarat
Vaidehi
Last Updated: 07:13 PM, 3 January 2024
અયોધ્યામાં ભગવાન રામલલાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધ્વજદંડ, વિશાળ નગારૂ અને અજય બાણ બનાવવા અમદાવાદ શહેર સહભાગી બન્યુ છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તોને આપવાનો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે. જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનુ જળ, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુના પ્રસાદ સાથે 20 હજાર બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલની આગેવાનીમાં મહાપ્રસાદની તૈયારી ચાલી રહી છે. સરખેજ ખાતે મહિલાઓને એકઠી કરીને પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારી હાલમાં ચાલી રહી છે. મહાપ્રસાદ તૈયાર કરવાને લઈ શહેરના ભાવિક ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વાંચવા જેવું: 22 જાન્યુઆરી નહીં, તો કયા સમયગાળા સુધીમાં રામ મંદિર સંપૂર્ણ બનીને તૈયાર થઇ જશે? જાણો આશિષ સોમપુરાના મુખે કહાની
ગુજરાતને મળી મોટી જવાબદારી
ભગવા સેના અધ્યક્ષ કમલ રાવલે કહ્યું કે શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાનાં ટ્રસ્ટ દ્વારા આપણને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપલક્ષે આપણને પૂજારીઓ અને VVIPને આપવાનાં મુખ્ય પ્રસાદને બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રસાદમાં સરયુ નદીનું જળ, સોપારી, અક્ષત, રક્ષાપોટલી અને 22 તારીખનાં દિવસે જે મુખ્ય પ્રસાદ આપવામાં આવશે તે પ્રસાદની તૈયારીઓ અમદાવાદમાં કરવામાં આવી રહી છે. અહીં બહેનો દ્વારા પેકેટની પેકિંગ થઈ રહી છે.
20000 પેકેટ તૈયાર કરવામાં આવશે
તેમણે જણાવ્યું કે આ ગુજરાત માટે મોટો મોકો છે. કારણકે મુખ્ય પ્રસાદની જવાબદારી પણ આપણાં ફાળે આવી છે. તેમણે ઉમેર્યું કે શ્રીરામની કૃપા આપણાં બધા પર છે તેથી આ કાર્યક્રમ આપણે અહીં કરી રહ્યાં છે. એટલું જ નહીં, પ્રસાદનાં પેકેટ અંગે કમલ રાવલે જણાવ્યું કે ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે 20000 પેકેટ અહીંથી તૈયાર કરીને અયોધ્યા મોકલવાનાં છે. જેની તૈયારીઓ હાલમાં શરૂ થઈ છે. સરખેજમાં મહિલાઓ તૈયાર આ પ્રસાદના પેકેટ તૈયાર કરી રહી છે.પ્રતિષ્ઠા મહોત્સવના પેકેટમાં લાડુનો પ્રસાદ પણ મૂકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime