બ્રેકિંગ ન્યુઝ
ઘરમાં માખી- મચ્છર, ગરોળીનું હોવુ ખૂબ જ સામાન્ય વાત છે. ઉનાળો આવતા જ ઘણા લોકોને પોતાના ઘરોની દિવાલો પર ગરોળીઓ દેખાવા લાગે છે. ઘણા લોકો એવા પણ હોય છે કે જે ગરોળીને જોઈને કરે છે. પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ગરોળી દેખાવવા પર ઘણી વખત શુભ તો ઘણી વખત અશુભ પ્રભાવ જોવા મળે છે.
ADVERTISEMENT

દિવાલ પર ગરોળી દેખાય તો?
જ્યોતિષ અનુસાર ઘરની દિવાલ પર ગરોળી દેખાવી કોઈ નવી વસ્તુઓના આગમનું પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તમારા જીવનમાં કોઈ નવી વસ્તુ થવાની છે. કારણ કે ગરોળી એક એવો જીવ છે જે વર્ષો સુધી જીવિત રહે છે. માટે તેને દીર્ઘતા સાથે જોડીને જોવામાં આવે છે.
ADVERTISEMENT
ચાંદીની ગરોળી
તમને જણાવી દઈએ કે અમુક રાજ્યોમાં નવા ઘરની વાસ્તુ પૂજામાં ચાંદીની ગરોળીની મૂર્તિ પણ મુકવામાં આવે છે. કારણ કે માન્યતા છે કે ગરોળી ઘરની સુખ-સંપત્તિમાં વૃદ્ધિ કરે છે.
અહીં ગરોળી દેખાય તો માનવામાં આવે છે શુભ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરના પૂજાઘર કે ડ્રોઈંગરૂમમાં ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે નજીકના ભવિષ્યમાં તમને વધારે ધન મળવાનું છે. જો દિવાળીના દિવસે તમારા ઘરમાં ગરોળી છે તો તમારા ઘરમાં આખુ વર્ષે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે. આટલું જ નહીં આ તમારા માટે અપાર ધન અને ખુશીઓ લઈને આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક જગ્યા પર 3 ગરોળી
એવી પણ માન્યતા છે કે ઘરમાં એક જ જગ્યા પર 3 ગરોળી દેખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આવું જોયું તો બની શકે કે તમને ટૂંક સમયમાં જ શુભ સમાચાર મળશે. નવા ઘરમાં પ્રવેશ કરતા જ જો તમને ગરોળી દેખાય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગરોળી દેખાવી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા બરાબર હોય છે. પિતૃઓના આશીર્વાદ અને કૃપા આપણને મળે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.