બ્રેકિંગ ન્યુઝ
કોરોનાવા.રસ લૉકડાઉન દરમિયાન ટેલિવિઝન પર ફરીથી રામાયણનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. દર્શકોને આ પૌરાણિક ધારાવાહિક ખૂબ પસંદ આવી રહી છે. ટીઆરપી લિસ્ટમાં આ ધારાવાહિક તમામ ટીવી શો ને પાછળ છોડીને નંબર વન બની છે. આ ધારાવાહિકમાં ભગવાનમાં રામનું પાત્ર નિભાવનાર એક્ટર અરુણ ગોવિલ પણ સતત ચર્ચામાં છે. રામાયણના દરેક એપિસોડ બાદ અરુણ ગોવિલ સોશિયલ મીડિયા પર ફેન્સથી જોડાય છે. એમને તાજેતરમાં એક ટ્વિટ કર્યું છે, જે ખૂબ ધ્યાન ખેંચી રહ્યું છે. આ ટ્વિટમાં અરુણ ગોવિલ કેન્દ્ર અને રાજ્ય સરકારોથી ખાસ નારાજ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
चाहे कोई राज्य सरकार हो या केंद्र सरकार, मुझे आज तक किसी सरकार ने कोई सम्मान नहीं दिया है. मैं उत्तर प्रदेश से हूँ, लेकिन उस सरकार ने भी मुझे आज तक कोई सम्मान नहीं दिया. और यहाँ तक कि मैं पचास साल से मुंबई में हूँ, लेकिन महाराष्ट्र की सरकार ने भी कोई सम्मान नहीं दिया. #रामायण https://t.co/C91yuJClMr
— Arun Govil (@arungovil12) April 25, 2020
ADVERTISEMENT
અરુણ ગોવિલે પોતાના ટ્વિટમાં લખ્યું, 'કોઇ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય મને આજ સુધી કોઇ સરકારે સમ્માન આપ્યું નથી. હું 50 વર્ષથી મુંબઇમાં છું, પરંતુ મહારાષ્ટ્રની સરકારે પણ કોઇ સમ્માન આપ્યું નથી.' રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનાર અભિનેતા અરુણ ગોવિલે આ પ્રકારનું દુખ વ્યક્ત કર્યું છે. એમના આ ટ્વિટ પર લોકોનું ખૂબ જ રિએક્શન આવી રહ્યું છે.
अपना मूल्यवान समय देने के लिए अनेक धन्यवाद @arungovil12 जी! इस मुश्किल समय में आपसे बातचीत करना एक उल्लासमय अनुभव रहा. आशा है लॉकडाउन समाप्त होने के बाद आपसे भेंट होगी.
— Raghuvendra Singh (@raghuvendras) April 25, 2020
हमें इस प्लैटफॉर्म पर जोड़ने के लिए @filmervishal और @LaughingColours का धन्यवाद 🙏 #रामवार्ता #रामायण https://t.co/7lsjJPM4TE
ADVERTISEMENT
અરુણ ગોવિલે થોડાક દિવસો પહેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ''મે મારા કરિયરની શરૂઆત હિંદી ફિલ્મમાં હીરો તરીકે કરી હતી અને રામાયણ બાદ જ્યારે હું બોલીવુડમાં પાછા જવા માંગતો હતો, તો નિર્માતા કહેતા હતા, 'તમારી રામની છાપ ખૂબ જ મજબૂત છે. અમે તમને બીજા કોઇ કિરદારમાં કાસ્ટ કરી શકીશું નહીં અથવા સહાયક ભૂમિકા આપી શકીશું નહીં.'
ADVERTISEMENT
જણાવી દઇએ કે રામાયણ થી રામાનંદ સાગરે એવો કરિશ્મા કાયમ કર્યો હતો, જેની ચર્ચા આજે પણ થાય છે. આ સીરિયલ આવ્યા બાદ લોકો ટીવીની સામે બેસી જતા હતા અને રસ્તા અને ગલીઓ સૂમસામ થઇ જતી હતી. ઘણા લોકો શ્રદ્ધાના કારણે હાથ જોડીને શો જોતા હતા. લોકો સીરિયલમાં કામ કરનાર કલાકાર અરુણ ગોવિલ, દીપિકાને ભગવાનની જેમ પૂજતા હતા. આ ધારાવાહિકમાં દારા સિંહ હનુમાનની ભૂમિકામાં હતા. મજાની વાત તો એ છે કે આ સીરિયલમાં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા નિભાવી રહેલા કલાકારોને લોકોએ અસલી ભગવાનનો દરજ્જો આપી દીધો હતો. આ સીરિયલમાં લક્ષ્મણનું કિરદાર સુનીલ લહેરીએ નિભાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.