બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / રાજકોટ / વડોદરા / Another Sadhu in dispute in Sokhda: Goes against Shikshapatri and gets land in his own name, see who's name in the document including Prem-Swarup Swami
Vishal Khamar
Last Updated: 05:04 PM, 23 June 2023
સોખડા સ્વામિનારાયણ મંદિર અવાર નવાર વિવાદમાં આવે છે. જમીન ખરીદીનાં કૌભાંડને લઈ સોખડા સ્વામિનારાયણ મંદિરનાં સંત ફરી વિવાદમાં આવ્યા છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ શિક્ષાપત્રીથી વિપરીત પોતાનાં નામે જમીન કરાવી દીધી હતી. સ્વામીજીએ આસોજ, સોખડા, મોક્સી, દશરથમાં ત્યાગવલ્લભ સ્વામીએ જમીન લીધી હોવાનું સામે આવવા પામ્યું છે. તેમજ ત્યાગવલ્લભદાસ ગુરૂ સ્વામી હરિપ્રસાદ દાસજીના નામનો સરકારી દસ્તાવેજમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમજ ભરૂચનાં ઝઘડિયામાં પણ ત્યાગવલ્લભ સ્વામીએ જમીન પોતાના નામે કરાવી છે.
આત્મીય યુનિવર્સિટીમાં કરોડોના કૌભાંડ બાદ સ્વામી ફરાર
સોખડાનાં ત્યાગવલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામી દ્વારા જમીન ખરીદીનું વધુ એક કૌભાડ બહાર આવતા હરી ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ વડોદરાનાં આંસોજમાં બીજું નામ ધારણ કરી જમીન ખરીદી છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદવામાં આવી છે. વડોદરાનાં આસોજ, દશરથ, મોક્સી અને સોખડા સહિતનાં ગામડાઓમાં જમીનો ખરીદી છે. તેમજ જમીન ખરીદનારના નામમાં સાધુ પ્રેમ સ્વરૂપનું નામ પણ સામેલ છે. ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કરોડોનાં કૌભાંડ બાદ હાલ તેઓ ફરાર છે.
સંતો મહિલાઓ સાથે વાતો કરતા હોય તેવા પણ ફોટો વીડિયો સામે આવ્યા
જમીન ખરીદીનાં કૌભાંડમાં ત્યાગ વલ્લભ, પ્રેમ સ્વરૂપ બાદ અન્ય સંતો પણ વિવાદમાં આવ્યા છે. જેમાં અન્ય સંતોના નામે પણ જમીન- મિલ્કતો થયાનાં દસ્તાવેજો સામે આવ્યા છે. નવસારીનાં આનંદસ્વરૂપ સ્વામી, સોખડાનાં જ્ઞાનસ્વરૂપદાસ સ્વામીનું નામ સામે આવ્યું છે. તેમજ સાધુ હરિવંદનદાસ, સાધુ ધર્મજીવનદાસના નામે પણ જમીન-મિલ્કતનાં કાગળો થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ સંતો મહિલાઓ સાથે વાતો કરતા હોય તેવા પણ ફોટો તેમજ વીડિયો સામે આવ્યા છે. ત્યારે હરી સૌરભદાસ અને સંત વલ્લભદાસ ગુરૂનાં બેંક ખાતાની માહિતી સામે આવી છે. ત્યારે બંને સંતોનાં બેંક ખાતાથી ટ્રાન્ઝેક્શન થયા હોય તેવા સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime