ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / another hindu temple vandalised in canada by khalistan extremists referendum posters pasted
ADVERTISEMENT
ADVERTISEMENT
કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે અડધી રાતે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ સરે (Surrey) સ્થિત એક મંદિરમાં તોડફોડ કરી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાનની હરદીપસિંહ નિજ્જરના મોતને લઈને લોકમતના પોસ્ટરો લગાવી દીધા, જેથી ભારતીય સમુદાયની વચ્ચે ડર પેદા કરી શકાય. ખાલિસ્તાનીઓનું આ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું હતું. જેમાં બે શખ્સો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાનો ચહેરો છુપાવ્યો છે. વાદળી પાઘડી પહેરેલ શખ્સો મંદિરના મુખ્ય દરવાજા પર પોસ્ટર લગાવે છે અને ત્યાર બાદ બંને ત્યાંથી ભાગી જાય છે.

ADVERTISEMENT
18 જૂને હરદીપસિંહની થઈ હતી હત્યા
જે ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરના પોસ્ટરો મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે, તેની આ વર્ષે 18 જૂનના રોજ કેનેડામાં ગોળીમારીને હત્યા થઈ હતી. તેને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ સામેલ હતું.

ADVERTISEMENT
NIAએ ભાગેડું કર્યો હતો જાહેર
હરદીપ નિજ્જરને કેનેડાના સરેમાં ગોળી મારવામાં આવી હતી, જે બાદ તેનું મોત થયું હતું. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો. તે પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. વર્ષ 2022ની શરૂઆતમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવા બદલ 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. NIAના જણાવ્યા અનુસાર, પૂજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું.
અગાઉ પણ મંદિરોમાં થઈ ચૂકી છે તોડફોડ
આ પહેલીવાર નથી જ્યારે કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યું હોય, આ પ્રકારના કિસ્સા ભૂતકાળમાં ઘણી વખત સામે આવી ચૂક્યા છે, જ્યારે મંદિરો પર હિન્દુ અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં ઓન્ટારિયો પ્રાંતના BAPS સ્વામિનારાયણ મંદિરમાં મંગળવારે રાત્રે તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. બાદમાં મંદિરના પ્રતિનિધિઓએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ADVERTISEMENT

6થી વધારે કિસ્સા આવ્યા સામે
છેલ્લા એક વર્ષમાં આવા (મંદિરમાં તોડફોડ)ના 6થી વધુ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. કેટલાક કિસ્સાઓમાં મંદિરોમાં ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય અલગતાવાદી ખાલિસ્તાન ચળવળના સંસ્થાપક જરનૈલ સિંહ ભિંડરાવાલેને 'શહીદ' ગણાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો