બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
VTV / ભારત / Politics / રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કેમ મમતા બેનર્જી સામેલ ન થયા? અમિત શાહે આપ્યો જવાબ
Last Updated: 09:50 AM, 1 May 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર પ્રહારો કર્યા છે. આ દરમિયાન અમિત શાહે સમજાવ્યું છે કે, શા માટે TMC સુપ્રીમોએ રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લીધો ન હતો. પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થયા ન હતા કારણ કે તેઓ તેમની 'ઘૂસણખોર વોટ બેંક' નારાજ થઈ જવાનો ડર હતો.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના મેમારીમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, લોકસભાની ચૂંટણી નક્કી કરશે કે લોકોને દેશમાં 'પરિવાર રાજ' જોઈએ છે કે 'રામ રાજ્ય'. અમિત શાહે કહ્યું, 'વર્ષોથી આપણા દેશના લોકો અને રામભક્તો ઈચ્છતા હતા કે અયોધ્યામાં રામ મંદિર બને પરંતુ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરીઓ આ ઈચ્છતા ન હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટેના આમંત્રણો મમતા દીદી અને તેમના ભત્રીજા (અભિષેક) બંનેને મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેમણે ભાગ લીધો ન હતો કારણ કે તેમને ડર હતો કે ઘૂસણખોરો તેમની પાર્ટીની વોટ બેંકને નારાજ કરી શકે છે.
ADVERTISEMENT
મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા 'તિકડમ' કરીને એક ધાર્મિક કાર્યક્રમનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય પક્ષોની 'વંશવાદી રાજનીતિ' પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, વિપક્ષ 'ભ્રષ્ટાચારમાં ફસાયો' છે અને 'ભત્રીજાવાદ' છે, જે ભારતના વિચારની વિરુદ્ધ છે. ગૃહ પ્રધાન અમિત શાહે બેનર્જી અને તેમના ભત્રીજા પર ભાજપના કાર્યકરોને ત્રાસ આપવાનો આરોપ મૂક્યો કારણ કે તેઓ કેન્દ્રમાં શાસક પક્ષથી "ડરતા" છે કારણ કે તેઓ જાણે છે કે તેમની "સત્તામાંથી વિદાય" નિકટવર્તી છે.
वोटबैंक के लिए पश्चिम बंगाल में घुसपैठ को बढ़ावा दे रही है ममता दीदी।
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 30, 2024
ভোটব্যাঙ্কের জন্য পশ্চিমবঙ্গে অনুপ্রবেশকারীদের সমর্থন করছেন মমতা দিদি। pic.twitter.com/HfkJxp5lGl
મમતા ડરી ગયા છે: અમિત શાહ
અમિત શાહે કહ્યું, મમતા બેનર્જી અને અભિષેક બંને BJPથી ડરે છે. આ અસુરક્ષાને કારણે તેઓ અમારા નેતાઓને હોટલ બુક કરવા અને કાર લેવા દેતા નથી. હોટેલો બુક થાય તો પણ તૃણમૂલ કોંગ્રેસના ગુંડા તેમને ખાલી કરાવે છે. હું તેમને કહેવા માંગુ છું કે, ભાજપના કાર્યકરો આનાથી પરેશાન નથી. ભલે તે ગમે તેટલો પ્રયાસ કરે તેમની સત્તામાંથી વિદાય નિશ્ચિત છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી એ પણ નક્કી કરવાની છે કે તમે ભત્રીજાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનાવવા માંગો છો કે નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવવા માંગો છો.
વધુ વાંચો : હાય રે ગરમી! અનેક રાજ્યો આવ્યા લૂની ઝપેટમાં, આગ ઓકતી ગરમીથી પ્રજા ત્રાહિમામ
આ માટે તેઓ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાની વિરુદ્ધ છે : અમિત શાહ
અમિત શાહે મમતા બેનર્જી પર નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંગે લોકોને 'ગેરમાર્ગે' કરવાનો અને વોટ બેંકની રાજનીતિ માટે ઘૂસણખોરોનું 'સ્વાગત' કરવાનો આરોપ લગાવ્યો. તેમણે પૂછ્યું, તે શરણાર્થીઓને નાગરિકતા મેળવવાની વિરુદ્ધ કેમ છે? તે બંગાળમાં ઘૂસણખોરીને સમર્થન આપી રહી છે, પરંતુ હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરે છે. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીએ હાલમાં જ દાવો કર્યો હતો કે જો વિપક્ષ 'INDIA' ગઠબંધન સત્તામાં આવશે તો સંસદમાં નવો કાયદો લાવીને CAAને રદ્દ કરવામાં આવશે. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ 'INDIA' ગઠબંધનનો એક ઘટક છે. ગયા મહિને કેન્દ્રએ સુધારેલ નાગરિકતા અધિનિયમ, 2019 અમલમાં મૂક્યો હતો, જેમાં 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા બિન-મુસ્લિમ વસાહતીઓને ઝડપી ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT