બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Amid Manipur violence, Home Ministry places 5-year ban on 9 Maitei extremist outfits
Kishor
Last Updated: 08:10 PM, 13 November 2023
મણિપુરમાં હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ સોમવારે (13 નવેમ્બર) મોટી કાર્યવાહી કરતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જેના ભાગરૂપે મંત્રાલય દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળો પર ઘાતક હુમલાઓમાં સંડોવાયેલ નવ મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો અને તેમના સાથી સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
MHA declares several Meitei extremist organisations as 'unlawful associations' for 5 years under UAPA
— ANI Digital (@ani_digital) November 13, 2023
Read @ANI Story | https://t.co/yMziSmO4U3#MHA #Meitei pic.twitter.com/kKie3e6I4r
વિગત મુજબ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને તેની રાજકીય પાંખ, રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF), યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) અને તેની સશસ્ત્ર પાંખ સહિતના જૂથોને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. મણિપુર પીપલ્સ આર્મી (MPA). તેમાં પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક (PREPAK) અને તેની સશસ્ત્ર પાંખ રેડ આર્મી, કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP), તેની સશસ્ત્ર પાંખ (જેને રેડ આર્મી તરીકે પણ ઓળખવામાં આવે છે), કાંગલી યાઓલ કનબા લુપ (KYKL), સંકલન, કમિટી (કોરકોમ) અને એલાયન્સ ફોર સોશ્યલિસ્ટ યુનિટી કંગલીપાક (એએસયુકે) સહિતનાઓનો પણ સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલયે શું કહ્યું?
આ મામલે ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયા અનુસાર કેન્દ્ર સરકારનું માનવું છે કે જો Meitei ઉગ્રવાદી સંગઠનો પર તાત્કાલિક અંકુશ લાદવામાં નહિ આવે તો હિંસક પ્રવૃત્તિઓ વધારવા તેમને તક મળશે. નોંધનીય છે કે PLA, UNLF, PREPAK, KCP, KYKL પર ગૃહ મંત્રાલય દ્વારા ઘણા વર્ષો પહેલા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (1967 ના 37) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે અન્ય સંસ્થા સામે કાર્યવાહી તાજેતરમાં જ કરાઈ છે.
નોટિફિકેશનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ ઉગ્રવાદી સંગઠનો પણ તાબડતોબ અંકુશ લાવવામાં નહીં આવે તો તેઓ ભારતની અખંડિતતા અને હાનિકારક તત્વો સાથે મળી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓનો પ્રચાર કરશે. સાથે જ લોકોની હત્યાઓ કરશે અને પોલીસ તથા સુરક્ષા દળોના જવાનોને પણ નિશાન બનાવશે તેવો ભય જોવા મળી રહ્યો છે.પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારનો અભિપ્રાય છે કે તે Meitei ઉગ્રવાદી સંગઠનોને... 'ગેરકાયદેસર સંગઠનો' તરીકે જાહેર કરવા જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime